કોરોના વાયરસના સંકટથી લડવા માટે પ્રધાનમંત્રી કેયર્સ ફંડમાં લોકોમાં ખુબ દાન કરી રહ્યા છે. બૉલીવુડ અભિનેતા અક્ષયકુમારના આ ફંડમાં 25 કરોડ રૂપિયાના દાન બાદ એક પછી એક લોકો દાન માટે આગળ આવી રહ્યા છે. હવે દાન કરનારાઓની લાઇન લાગી છે.
કોરોના સંકટમાં PM રાહત ફંડમાં આવ્યું સૌથી મોટું દાન
ઇન્ડિયન ઑયલ, ભારત પેટ્રોલિયમ અને ONGCની પહેલ
કર્મચારીઓ, અધિકારીઓએ પણ 61 કરોડ રૂપિયા કર્યા ડોનેટ
આ વચ્ચે, પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવનારી પબ્લિક સેક્ટર કંપનીઓએ કોરોના સંકટને ધ્યાને રાખતા પીએમ કેયર્સ ફંડમાં અત્યાર સુધીમાં સૌથી મોટું યોગદાન 1031.29 કરોડ રૂપિયા જમા કરી દીધા છે. આ રકમ ઇન્ડિયન ઑયલ, ભારત પેટ્રોલિયમ, ઓએનજીસી જેવી કંપનીઓને એકઠી કરી છે.
પેટ્રોલિયમ અને ગેસ વિભાગના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અનુસાર આ રકમ સિવાય આ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓને પણ પોતાના તરફથી 61 કરોડ રૂપિયા એકઠા કરીને દાન કર્યું છે.
જણાવી દઇએ કે કોરોના વાયરસની મહામારીને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ લોકો સતત મદદ માટે આગળ આવી રહ્યા છે. અનેક મોટી હસ્તિઓએ પીએમ કેયર્સ ફંડમાં મદદ રકમ જમા કરાવ્યા છે. હજુ પણ આ સિલસિલો ચાલી રહ્યો છે.
CSR પણ પીએમ કેયર્સમાં ફંડ જમા કરાવી શકાય
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે હવે CSR એટલે કોરપોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટીના ફંડ પણ પીએમ કેયર્સ ફંડમાં જમા કરાવી શકાય છે. આને લઇને કંપની મામલાઓના મંત્રાલયે જાહેરનામુ પણ જાહેર કરી દીધું છે.
હકીકતમાં, CSR કંપનીઓની એક પહેલ છે, જે હેઠળ તેઓ સમાજની ભલાઇ માટે પોતાની થોડી ફરજ નિભાવે છે અને આના ફંડ હેઠળ સમાજ કલ્યાણ માટે અલગ અલગ અભિયાન ચલાવવામાં આવે છે. કંપની પોતાના કસ્ટમર,એમ્પ્લોઈ, શેરહોલ્ડર, અલગ-અલગ સમાજ અને પર્યાવરણના હિતમાં ફંડ ખર્ચે છે.
આ ફંડમાં કંપનીઓએ પોતાનું દાન જમા કરાવવાનું હોય છે. નાણા મંત્રાલયે હવે આ ફંડને પીએમ કેયર્સ ફંડમાં નાણુ આપવાની મંજૂરી આપી દેવાઇ છે. આ કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલ મુહિમમાં સરકારને મદદ મળશે. સાથે જ લોકો પર કરવામાં આવી રહેલ ખર્ચમાં પણ આ ફંડથી સહાય મળશે.