અમદાવાદમાં ચંપાબેન નામના કોરોનાના દર્દીને એક હોસ્પિટલથી એકથી દોઢ કિલોમીટર લઈ જવાનો રૂા. 11 હજાર ખર્ચ વસૂલાતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ પછી હોસ્પિટલે પણ ખુલાસો આપ્યો હતો.
કોરોનાની મહામારી વચ્ચે ઉઘાડી લૂંટ કરતી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ
ખાનગી એબ્યુલન્સ 1 કિમી અંતર કાપવાના રૂ.11 હજાર કરે છે ચાર્જ
કોરોનાથી પીડાતા દર્દીઓ પાસે થઇ રહી છે ઉઘાડી લૂંટ
કોરોનાની મહામારી વચ્ચે પણ ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. અમદાવાદના નિકોલમાં રહેતા પંચનાણી પરિવાર આ ઉઘાડી લૂંટનો ભોગ બન્યો. જેમાં કોરોનાથી પીડાતા દર્દીને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઇ જવા માટે 11 હજાર ચાર્જ વસૂલાયો. ચંપાબેન પંચનાણીને 28મી તારીખે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેમને કોવિડ હોસ્પિટલ લઈ જવાના એમ્બ્યુલન્સે રૂા. 11 હજાર લીધા જેનું અંકર માત્ર 1 થી દોડ કિમી હતુ.
આ અંગે એમ્બ્યુલન્સ ચાલકે ખુલાસો કર્યો હતો અને ભાડામાં બધા ચાર્જ ગણાવ્યા હતા.
શું પૈસા કમાવા ખાનગી એમ્બ્યુલન્સ શરૂ કરી છે
ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા 1 કિલોમીટર અંતર કાપવાના 11 હજાર ચાર્જ વસૂલવામાં આવ્યા. ત્યારે અહિંયા સવાલો ઉઠી રહ્યા છે કે 1 કિમી અંતરના 11 હજાર કેવી રીતે વસૂલ્યા?. ખાનગી એમ્બ્યુલન્સમાં એવી તે કેવી સુવિધા હોય છે?. કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય જનતાને કેમ લૂંટો છો?. શું લૂંટ ચલાવા માટે તમે એમ્બ્યુલન્સ શરૂ કરી છે?. આટલો ચાર્જ તો સારવારનો પણ નથી થતો એટલો એમ્બ્યુલન્સનો લેવાયો?. શું પૈસા કમાવા ખાનગી એમ્બ્યુલન્સ શરૂ કરી છે?.
સળગતા સવાલ
1 કિમી અંતરના 11 હજાર કેવી રીતે વસૂલ્યા?
કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય જનતાને કેમ લૂંટો છો?
શું લૂંટ ચલાવા માટે તમે એમ્બ્યુલન્સ શરૂ કરી છે?
આટલો ચાર્જ તો સારવારનો પણ નથી થતો એટલો એમ્બ્યુલન્સનો લેવાયો?
કાકડિયા હોસ્પિટલે શું પૈસા કમાવા ખાનગી એમ્બ્યુલન્સ શરૂ કરી છે?
આવા લોકો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી?
કાકડિયા હોસ્પિટલ આવા ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોને કેમ કોન્ટ્રાક્ટ આપે છે?
કાકડિયા હોસ્પિટલને ખબર નથી કે તમારા દર્દીઓ લૂંટાય છે?
ધારાસભ્ય વલ્લભ કાકડિયા પણ એમ કહે છે કે અમારી એમ્બ્યુલન્સ નથી એટલે કંઇ ન કરી શકીએ?
વલ્લભ કાકડિયા એક ધારાસભ્ય તરીકે તો ભોગ બનનારની મદદ કરી શકે કે નહીં?
શું ખાનગી એમ્બ્યુલન્સની લૂંટમાં કાકડિયા હોસ્પિટલનો પણ કોઇ ભાગ છે