દેશભરમાં કોરોનાની સ્થિતિને લઈને ચિંતા સર્જાઈ છે ત્યારે અગાઉ પણ PM મોદીએ યોગ સાથે જોડાયેલી એક પોસ્ટ શૅર કરી હતી. હવે તેઓએ પોતાના ટ્વિટર પર જણાવ્યું છે કે કોરોના સામે લડવા માટે પોતાની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવાની જરૂર છે. PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે આયુષ મંત્રાલયે સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી માટે કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેને ફોલો કરવાથી ઈમ્યુનિટી વધશે અને કોરોના હારશે.
કોરોનાને માત આપવા PM મોદીએ આપ્યા સરળ ઘરેલૂ ઉપાય
PM પણ અનેક ઉપાયોને વર્ષોથી કરે છે ફૉલો
આ ઉપાયોથી ઇમ્યુનિટી વધે છે અને કોરોનાને હરાવી શકાય છે
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકારે 24 માર્ચથી દેશમાં 21 દિવસનું લૉકડાઉન લાગૂ કર્યું છે. પીએમ મોદીએ પણ દરેક મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થનારા કાર્યક્રમ મન કી બાતમાં લૉકડાઉનના કારણે થતી અસુવિધા માટે માફી પણ માંગી હતી. તેઓએ કહ્યું હતું કે આ સમયે લોકો પોતાને ફિટ કેવી રીતે રાખે તેની સાથેની જાણકારી તેઓ સોશ્યલ મીડિયા પર શેર કરતા રહેશે.
During yesterday’s #MannKiBaat, someone asked me about my fitness routine during this time. Hence, thought of sharing these Yoga videos. I hope you also begin practising Yoga regularly. https://t.co/Ptzxb7R8dN
અગાઉ પીએમ મોદીએ યોગ સાથે જોડાયેલો વીડિયો પોસ્ટ કર્યો હતો. હવે તેઓએ ટ્વિટ કરી છે કે રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી કેવી રીતે વધારવી. આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી માટે કેટલાક સૂચનો આપ્યા છે. જેને તમે સારી રીતે કરી શકો છો. હું પણ વર્ષોથી આ કામ કરું છું.
जब भी समय मिलता है, मैं हफ्ते में 1-2 बार योग निद्रा का अभ्यास करता हूं।
ये शरीर को स्वस्थ और मन को प्रसन्न रखता है, साथ ही तनाव और चिंता को कम करता है। इंटरनेट पर आपको योग निद्रा के कई वीडियो मिलेंगे। अंग्रेजी और हिन्दी में 1-1 वीडियो साझा कर रहा हूं। https://t.co/K8RvVMW76K
પીએમ મોદીએ કહ્યું કે જો તમે તમારા જીવનમાં આ ક્રિયાઓ કરો છો અને પરિવારને પણ સાથે જોડો છો તો તમે સ્વસ્થ રહેશો. અહીં પીએમ મોદીએ કેટલાક ફોટો પણ શૅર કર્યા છે. જેમાં કોરોના વાયરસ સામે કેવી રીતે લડવું તેની જાણકારી આપવામાં આવી છે.