દેશમાં કોરોનાનો કહેર બેકાબૂ થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસ 3 લાખને પાર પહોંચ્યો છે. 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં 24 કલાકમાં 11929 કેસ આવ્યા છે. 24 કલાકમાં કોરોનાના કારણે 311 લોકોના મોત થયા છે. હાલ સુધીમાં 9195 દર્દીના કોરોના વાયરસના કારણે મોત થયા છે. 1 લાખ 54 હજારથી વધારે લોકોએ હાલ સુધીમાં કોરોનાની જંગ જીતી છે. 24 કલાકમાં 7000થી પણ વધારે લોકો સાજા થયા છે.
દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડજનક વધારો
દેશમાં 24 કલાકમાં 11929 કેસ નવા આવ્યા, 311 લોકોના થયા મોત
દેશમાં 24 કલાકમાં 7000થી પણ વધુ લોકો થયા સાજા
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યાકે દેશમાં કુલ સંક્રમણનો આંક 3 લાખને પાર થયો છે અને સાથે જ દેશમાં કુલ 9195ને પાર પહોંચ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 149348 પહોંચી છે. જ્યારે 162379 દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાથી 311 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે.
पिछले 24 घंटों में एक दिन में 11,929 नए #COVID19 मामले और 311 मौतों का सर्वाधिक आंकड़ा देखने को मिला। देश में अब कुल 3,20,922 कोरोना मामलों में हैं जिसमें 1,49,348 सक्रिय मामले, 1,62,379 ठीक/ डिस्चार्ज/ विस्थापित और 9195 मृतक लोग शामिल: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/SPwawXA1lC
લખનઉમાં 2523 સેમ્પલમાંથી 63 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં લખનઉમાં 23, બારાબંકીમાં 15, હરદોઈમાં 7, સંભલમાં 5 અને અયોધ્યાના ફૈઝાબાદમાં 9 અને શાહજહાંપુરમાં 4 દર્દીઓ છે. દિલ્હીમાં 24 કલાકમાં 2000 નવા કેસ આવ્યા છે તો કુલ આંક 36000ને પાર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના રોકાવવાનું નામ લઈ રહ્યો નથી. અહીં 24 કલાકમાં 3427 નવા કેસ આવ્યા છે અને 113 લોકોના મોત થયા છે. મુંબઈમાં 24 કલાકમાં 1380 નવા કેસ આવ્યા છે અને 69 લોકોના મોત થયા છે.
દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમને કોવિડ ફેસિલિટીમાં બદલવામાં આવશે. 10થી 49 બેડના હોસ્પિટલ કે નર્સિંગ હોમ હવે કોરોના ફેસિલિટીમાં બદલાશે. હરિયાણામાં પણ કોરોનાના 430 નવા કેસ આવ્યા છે. શનિવારે અહીં 13 લોકોના મોત થયા છે. હરિયાણામાં કુલ દર્દીની સંખ્યા 6956 પહોંચી છે.