દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 67 લાખની પાર પહોંચી ગયો છે, પરંતુ એક સારા સમાચાર પણ છે. અત્યાર સુધીમાં 85 ટકા લોકો ઠીક થઇ ગયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં 57 લાખથી વધારે દર્દીઓ ઠીક થઇ ગયા છે. દેશમાં પ્રતિદિવસ કોરોના સંક્રમણના હજારો નવા કેસ સામે આવ્યાં પછી એક્ટિવ કેસોમાં ઘટાડો થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં 57 લાખથી વધારે દર્દીઓ થઇ ગયા છે, જ્યારે 9 લાખથી વધારે એક્ટિવ કેસ છે. 18 રાજ્ય એવા છે જ્યાં રિકવરી રેટ નેશનલ એવરેજથી વધારે છે. બિહારમાં કોરોનાના દર્દીઓનો ઠીક થવાનો દર 93.59 ટકા છે. રિકવરી રેટના વધારા પાછળ ઝડપથી થઇ રહેલા ટેસ્ટનું કારણ બતાવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકની અંદર દેશમાં 986 લોકોના મૃત્યું થયા છે. મૃતકોમાં 83 ટકા આંકડા એકલા 10 રાજ્યોના છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 370 લોકોના મૃત્યું થયા છે, જ્યારે કર્ણાટકમાં મૃત્યુંનો આંકડો 91, દિલ્હીમાં 39 અને આંધ્ર પ્રદેશમાં 33 છે. આ પ્રદેશમાં મૃત્યુંનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.
જો વાત કરીએ તો એક્ટિવ કેસની તો આ યાદીમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 47 હજારની ઉપર છે. ત્યાર બાદ કર્ણાટકનો નંબર આવે છે. જ્યાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 15 હજારથી વધારે છે. ત્રીજા નંબર પર આંધ્ર પ્રદેશ છે, જ્યાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી વધારે છે.