ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તયારે અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 30,685 થઇ ગઇ છે. ત્યારે શહેરમાં અત્યાર સુધીમાં 25,517 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયાં છે. જો કે ખાનગી કંપનીઓમાં ટેસ્ટિંગ કરતાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. શહેરમાં અત્યાર સુધીમાં 1778 દર્દીઓના મૃત્યું થયાં છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 30685 થઇ
અત્યાર સુધી 25,517 દર્દીઓ થયા ડિસ્ચાર્જ
ખાનગી કંપનીઓમાં ટેસ્ટિંગ કરતા કેસનો રાફડો ફાટ્યો
અમદાવાદમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 30 હજાર 685 થઇ છે. ખાનગી કંપનીઓમાં ટેસ્ટિંગ કરતા કેસનો રાફડો ફાટ્યો છે. GMDC PSP કોલોનીમાં 125 પોઝિટિવ કેસ નોંધાયા, તો શહેરમાં અત્યાર સુધીમાં 25 હજાર 517 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
જ્યારે અત્યાર સુધી 1778 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ 2911 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદના અલગ અલગ ઝોનની વાત કરીએ તો મધ્ય ઝોનમાં 305 એક્ટિવ કેસ, પશ્ચિમ ઝોનમાં 475 એક્ટિવ કેસ છે. દક્ષિણ પશ્ચિમમાં 480, ઉત્તર ઝોનમાં 306, પૂર્વ ઝોનમાં 425 અને દક્ષિણ ઝોનમાં 454 એક્ટિવ કેસ છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગઇકાલે મંગળવારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1310 કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 97,745 પર પહોંચ્યો હતો.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 78,070 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 24,09,906 પર પહોંચ્યો છે.