કોરોના વાયરસ અંગ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ રવિવાર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં 5 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ, રાજકોટ, પોરબંદર, સુરત અને ગીર સોમનાથમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી ગુજરાતમાં કુલ 63 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 1 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.
આજે નવા 5 કેસ નોંધાયા, કુલ 63 કેસ થયાઃ જયંતિ રવિ
એક દર્દી સાજા થતા તેમને રજા આપી દેવાઇઃ જયંતિ રવિ
50 બેડની પ્રાઈવેટ અને 50 બેડની સરકારી હોસ્પિટલ તમામ જિલ્લામાં કાર્યરત થશે
જયંતિ રવિએ કોરોના વાયરસને લઇને જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. રાજ્યમાં એક દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ દર્દીને 14 દિવસ બાદ રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં કુલ 2 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દર્દીઓના સંપર્કમાં આવેલાની પણ હવે તપાસ થશે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવા 800 લોકો છે. તેમની પણ તપાસ કરવામાં આવશે.
હાલ 19,661 લોકો ક્વોરોન્ટાઇનમાં
જયંતિ રવિએ જણાવ્યું કે, પોરબંદરમાં 48 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ વિદેશથી આવેલી મહિલાના સંપર્કમાં આવ્યા હતા. સુરતમાં દુબઇ થઇને આવેલા એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં કુલ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોની સંખ્યા 19,661 છે. જેમાં હોમ ક્વોરોન્ટાઇન કરાયેલાની સંખ્યા 18,784 છે. જ્યારે સરકારી ક્વોરોન્ટાઇન લોકોની સંખ્યા 696 છે. જેમાંના હોમ ક્વોરોન્ટાઇનનું પાલન ન કરનારાની સંખ્યા 236 છે.
50 બેડની પ્રાઈવેટ અને 50 બેડની સરકારી હોસ્પિટલ તમામ જિલ્લામાં કાર્યરત થશે
વધુમાં તેમણે જણાવ્યું કે 2થી 3 દિવસમાં તમામ જિલ્લામાં ખાનગી 50 બેડની પ્રાઈવેટ હોસ્પિટલ કાર્યરત થશે. અને તમામ જિલ્લામાં 50 બેડની સરકારી હોસ્પિટલ કાર્યરત થશે. વેન્ટિલેટરની વ્યવસ્થા કરવાની કામગીરી શરૂ કરૂ કરાઇ છે.