ભારતમાં કોવિડ-19 એટલે કે કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખ 6 હજારની ઉપર પહોંચી ગઇ છે. મંગળવારે દેશમાં 5,611 નવા કેસ સામે સામે આવ્યાં છે, જે અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે. આજે આવેલા આંકડાને લઇને દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 1,06,750 થઇ ગઇ છે, જેમાં 61,149 એક્ટિવ કેસ, 42,297 ડિસ્ચાર્જ, 3303ના મોત અને વિદેશ ગયેલો 1 દર્દી સામેલ છે.
અત્યાર સુધીમાં અંદામાન-નિકોબારમાં 33, આંધ્ર પ્રદેશમાં 2532, અરૂણાચલપ્રદેશમાં 1, આસામમાં 142, બિહારમાં 1498, ચંદીગઢમાં 200, છત્તીસગઢમાં 101, દાદર-નગર હવેલીમાં 1, દિલ્હીમાં 10554, ગોવામાં 46, ગુજરાતમાં 12,140, હરિયાણામાં 964, જમ્મૂ-કાશ્મીરમાં 1317, ઝારખંડમાં 231, કર્ણાટકમાં 1397, કેરળમાં 642, લદ્દાખમાં 43, મધ્ય પ્રદેશ 5465, મહારાષ્ટ્રમાં 37136, મણિપુરમાં 9, મેઘાલયમાં 13, મિઝોરમમાં 1, ઓડિશામાં 978, પોંડીચેરીમાં 18, પંજાબમાં 2002, રાજસ્થાનમાં 5845, તામિલનાડુમાં 12448, ઉત્તરાખંડમાં 111, ઉત્તર પ્રદેશમાં 4926 અને પશ્ચિમ બંગાળમાં 2926, ત્રિપુરામાં 173, તેલંગાણામાં 1634 અને હિમાચલ પ્રદેશમાં 59 કેસ સામે આવ્યાં છે.
આમ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 5611 નવા કેસ જોવા મળ્યાં છે જ્યારે 140 લોકોનાં મોત થયા છે.
આ સાથે દેશભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,06,750 થઇ ગઇ છે.
દેશમાં કોરોના વાયરસમાં સાજા થયેલા દર્દીઓમાં અંદામાન-નિકોબારમાં 33, આંધ્ર પ્રદેશમાં 1621, અરુણાચલ પ્રદેશમાં 1, આસામમાં 41, બિહારમાં 534, ચંદીગઢમાં 57, છત્તીસગઢમાં 59, દિલ્હીમાં 4750, ગોવામાં 7, ગુજરાતમાં 5043, હરિયાણામાં 627, જમ્મૂ-કાશ્મીરમાં 653, ઝારખંડમાં 127, કર્ણાટકમાં 544, કેરળમાં 497, લદ્દાખમાં 43, મધ્યપ્રદેશમાં 2630, મહારાષ્ટ્રમાં 9639, મણિપુરમાં 2, મેઘાલયમાં 12, ઓડિશામાં 277, પોંડિચેરીમાં 9, પંજાબમાં 1642, રાજસ્થાનમાં 3337, તામિલનાડુમાં 4895, ઉત્તરાખંડમાં 52, ઉત્તર પ્રદેશમાં 2918, પશ્ચિમ બંગાળમાં 768માં તેલંગાણા 1010, ત્રિપુરામાં 116 અને હિમાચલ પ્રદેશમાં 47 મામલા સામેલ છે.