દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઝડપથી વધારો થઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસની ચપેટમાં આવનારાનો આંકડો 37.6 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 29 લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમા સાજા થવાનો દર 76.94 ટકા છે. જ્યારે આ મહામારીથી મરનારાઓનો આંકડો 66.3 હજાર થઇ ગયો છે. દેશમાં સંક્રમણથી મૃત્યુ દર અંદાજે 1.77 ટકા છે.
કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી બુધવારે સવારે જાહેર કરવામાં આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,045 લોકોના મૃત્યું થવાથી મૃતકોનો આંકડો વધીને 66,333 થઇ ગયો છે.
દેશમાં સંક્રમણના મામલો વધીને 37,69,524 થઇ ગયો છે, જેમાંથી 8,01, 282 લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે અને 29,01,909 લોકો સારવાર બાદ સાજા થઇ ઘરે ગયા છે. સંક્રમણના કુલ મામલામાં વિદેશી નાગરિક પણ સામેલ છે.
છેલ્લા 25 કલામાં 10.5 લાખથી વધારે ટેસ્ટિંગ કરાયાં
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશભરમાં એક સપ્ટેમ્બર સુધી કુલ 4,43,37,201 કેસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાં મંગળવારના રોજ એક દિવસમાં 10,12,367 કેસના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં.