ભારતમાં કોરોના વાયરસની પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3525 નવા કેસ સામે આવ્યાં છે જ્યારે 122 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 74 હજાર 281 પર પહોંચી ગઇ છે. દેશમાં હાલ એકટીવ કેસોની સંખ્યા 47 હજાર 480 છે, જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે દેશમાં 2415 લોકોના મૃત્યું થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 24,386 લોકો સાજા થઇ ગયા અથવા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.
ભારતમાં કોરોના વાયરસ મહામારીને કહેર યથાવત્
ભારતમાં કોરોના પોઝિટિવ કેસ 74 હજારની ઉપર
ભારતમાં કુલ 2415 લોકોના મોત
ગુજરાતથી વિશેષ ટ્રેન નવી દિલ્હી પહોંચ્યો
નવી દિલ્હી રેલવે સ્ટેશનની બહાર લોકોની લાંબી લાઇન જોવા મળી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવ્યું. રેલવે દ્વારા 12 મેથી 15 જોડી વિશેષ એસી ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી છે. આજે સવારે ગુજરાતના સાબરમતી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન યાત્રી સાથે નવી દિલ્હી પહોંચી.
Delhi: Passengers from Ahmedabad who deboarded the first train that reached New Delhi Railway Station after the lockdown say they are relieved now. One of the passengers says,"The journey was good&I'm happy. I went to meet my daughter&son-in-law&was stuck there for 2 months.". https://t.co/cg94Q5sVPypic.twitter.com/bGL4MMgSDE
ઝારખંડ આરોગ્ય સચિવે જણાવ્યું કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા તેલંગાણાથી ઝારખંડ પરત ફરેલ વ્યક્તિમાં કાલે રાતે કોરોના પોઝિટિવ જોવા મળ્યો. દર્દી લાતેહારનો રહેવાસી છે. ઝારખંડમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 173 પર પહોંચી છે.
બાંગ્લાદેશના ઢાકામાં 169 મેડિકલ વિદ્યાર્થીઓને લઇને એર ઇન્ડિયાનું વિશેષ વિમાન મંગળવારના રોજ શ્રીનગર પહોંચ્યું છે. આ દરમિયાન એક વિદ્યાર્થીએ કહ્યું કે બાંગ્લાદેશમાં ભારતીય દુતાવાસ અને ભારત સરકારે અમારા માટે ઘણી મદદ કરી છે. અમે પરત આવી જવાથી ખુશ થયા છીએ.
Jammu and Kashmir: Air India repatriation flight carrying 169 medical students from Dhaka in Bangladesh reached Srinagar, yesterday. A student says,"Indian Embassy in Bangladesh and Indian Govt helped us a lot. We are happy to be back. We are thankful to the Indian Govt." pic.twitter.com/vtaxlV9xtO
Rajasthan: A 'Shramik special train' carrying more than 1000 passengers from Pune in Maharashtra reached Jodhpur, yesterday. pic.twitter.com/nukiLXJdqF
આસામમાં શૈક્ષણિક સંસ્થાઓ ક્વોરોન્ટાઇન કેન્દ્ર બનશે
આસામમાં બીજા રાજ્યોમાંથી પરત આવનારા લોકોને 14 દિવસ ક્વોરોન્ટાઇનમાં રહેવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં સ્કૂલો, કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓનો ક્વોરોન્ટાઇન કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવશે.