ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં અનલોક બાદથી જ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ઘણા બધા એક્સપર્ટનું માનવું છે કે હવે કોરોના વાયરસ તેની ચરમસીમા પર પહોંચશે. બીજી તરફ કોરોના વાયરસના રેકોર્ડબ્રેક સામે આવતા કુલ આંક શુક્રવારે આઠ લાખની નજીક પહોંચી ગયા છે.
દિલ્હી અને મુંબઈમાં કોરોનાનો હાહાકાર
ચાર સપ્તાહમાં કોરોના રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવો દાવો
જુલાઈથી સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ ચરમસીમા પર
દિલ્લીમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે
કોરોના સંક્રમણને કારણે હાલ સમગ્ર દુનિયામાં ખળભળાટ છે ત્યારે આ બીમારીનો વધુ પ્રકોપ હવે ભારતમાં જોવા મળશે તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે. જોકે હવેખાસ પ્રદેશોમાં જ કોરોનાનો કહેર સતત વધતો નજર આવી રહ્યો છે. ભારતના દિલ્લીમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને તેના કારણે તેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.
4 સપ્તાહમાં કોરોનાનુ ભારતમાં રોદ્ર સ્વરૂપ જોવા મળશે
કોરોના વાયરસ પર અનુમાન લગાવનારા ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે આગામી 4 સપ્તાહમાં કોરોનાનુ ભારતમાં રોદ્ર સ્વરૂપ જોવા મળશે. જાન્યુઆરીથી આ બીમારીએ ભારતને સકંજામાં લીધું.પરંતુ હવે એક બાદ એક ચોંકાવનારા રિપોર્ટ પણ સામે આવી રહ્યા હોવાના કારણે આગામી ચાર સપ્તાહ બાદ ભારતમાં કોરોનાનો વ્યાપ ખુબ ઝડપી વધશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
જુલાઈથી સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ ચરમસીમા પર પહોંચી શકે
કોરોના વાયરસને લઈને વિવિધ સ્વાસ્થ્ય સંબંધી સર્વે કરનારી સંસ્થાઓ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ ચરમસીમા પર પહોંચી શકે છે. આ દરમિયાન ઘણા બધા લોકો વાયરસની ઝપેટમાં આવશે અને ઓકટોબર સુધી વાયરસની ગતિ ધીમી પડી શકે છે. નોંધનીય છે સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા કરવામાં આવતા આ દાવા વાયરસની પ્રકૃતિને આધારિત હોય છે.