કોરોનાથી સાજા થયેલા દર્દીમાં 5 મહિના બાદ પણ વાયરસનો નકારાત્મક પ્રભાવ શારિરીક અને માનસિક રીતે કાયમ રહે છે અને સાથે દર્દીમાં 10 લક્ષણો અનુભવાય છે.
કોરોનાની રિકવરીને લઈને સામે આવ્યો રિપોર્ટ
5 મહિના બાદ પણ દર્દી સાજા થતા નથી
દર્દીમાં જોવા મળે છે આ 10 લક્ષણો
કોરોના વાયરસના સંક્રમણના કારણે હોસ્પિટલમાં એડમિટ થયેલા મોટા ભાગના દર્દી ડિસ્ચાર્જ થયાના 5 મહિના બાદ પણ સંપૂર્ણ રીતે સાજા થતા નથી. આ ખુલાસો બ્રિટનના એક અધ્યયનમાં થયા છે. શોધમાં જાણવા મળ્યું છે કે સંક્રમણથી બહાર આવ્યા બાદ પણ વાયરસનો નકારાત્મક પ્રભાવ શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર સતત જોવા મળે છે. તેની અસર સંક્રમિત લોકોના કાર્ય કરવાની ક્ષમતા પર પણ થતી હોય છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચના બ્રિટનમાં થયેલા કોરોનાના અધ્યય્નમાં 1077 દર્દીઓની તપાસ કરાઈ જેમને માર્ચ અને નવેમ્બર 2020ની વચ્ચે હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી.
જાણો રિપોર્ટમાં શું આવ્યું પરિણામ
રિસર્ચ માટે 69 ટકા શ્વેત અને 36 ટકા મહિલાઓ હતી. તેમની ઉંમર લગભગ 58 વર્ષની હતી. અને ઓછામાં ઓછા 50 ટકા દર્દીઓ ઓછામાં ઓછી 2 ગંભીર બીમારી પણ ધરાવતા હતા. રિસર્ચ અુસાર 5 મહિનાના સતત ફોલોઅપમાં ફક્ત 29 ટકા લોકો એવા હતા જેઓ સંપૂર્ણ રીતે સાજા થયા હતા. પરંતુ 20 ટકા લોકોએ નવી મુશ્કેલીઓની ફરિયાદ કરી હતી. જે લોકોને સંક્રમણ બાદથી સૌથી વધારે ગંભીર ફરિયાદ હતી તેમાં મધ્યમ ઉંમરની શ્વેત મહિલાઓ હતી જે અસ્થમા અને શુગર જેવી ગંભીર બીમારીઓથી પીડિત હતી.
જાણો શું તકલીફ આવી રહી હતી દર્દીઓને
રિસર્ચના અધારે જાણવા મળી રહ્યું છે કે 25 ટકાથી વધારે લોકોમાં ચિંતા અને અવસાદના મહત્વના લક્ષણો જોવા મળ્યા. 12 ટકા લોકોને Post Traumatic Stress disorderના લક્ષણ રહ્યા છે. બ્રિટનના એક ડોક્ટરનું કહેવું છે કે કોરોના સંક્રમણની સારવારના 5 મહિના બાદના રિસર્ચમાં માનસિક, શારીરિક સ્વાસ્થ્ય અને માનવ અંગો પર વાયરસના ગંભીર પરિણામોના મોટા સાક્ષ્ય મળ્યા છે. તેઓએ કહ્યું કે અધ્યયનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકોને સારવારમાં વેન્ટિલેટરની જરૂર પડી હતી તેમને આઈસીયૂમાં એડમિટ કરાયા હતા અને તેમને સાજા થવામાં ઘણો સમય પણ લાગ્યો હતો.
રિસર્ચમાં આ લક્ષણ જોવા મળ્યું
શોધકર્તાઓએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનને થયેલી ક્ષતિના આધારે અધ્યયનમાં સામેલ લોકોને 4 જૂથમાં વહેંચ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે એક સમૂહમાં Impaired Cognitive Functionના લક્ષણો જોવા મળ્યા છે. જેને બોલચાલની ભાષામાં બ્રેન ફોગ કહેવાય છે. આ સ્થિતિ ચૌંકાવનારી હતી. આ સિવાય પણ અન્ય 9 પ્રકારના લક્ષણો દર્દીમાં સારવારના 5 મહિના બાદ પણ હોવાની ફરિયાદ જોવા મળી છે, જે ચિંતાનો વિષય છે.