રાજ્યમાં કોરોનાના સ્થિતિને જોતાં ગુરૂવારે બપોર સુધીમાં 87 લોકો કોરોના સામે ઝઝુમ્યા છે. જેમાંથી 7 લોકો સાજા થઈ ઘરે ગયા છે. આ વચ્ચે તમામ દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટરો અને નર્સે આ રોગનો ચેપ ન લાગે અને તેઓનો પરિવાર સ્વસ્થ રહે તે અંગે આરોગ્ય વિભાગે એક અનોખી વ્યવસ્થા કરી છે.
કોરોનાના દર્દીઓની સેવા કરતાં મેડિકલ સ્ટાફની અગવડતાં દૂર કરવાં હોટલમાં સુવિધા અપાશે
7 દિવસ ડ્યુટી કતરનાર મેડિકલ સ્ટાફને 14 દિવસ હોટલના આઈસોલેશન વોર્ડમાં રખાશે
મેડિકલ સ્ટાફના પરિવારજનો અને પાડોશીઓને ધ્યાને રાખી આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો
રાજ્યનાં આરોગ્ય વિભાગે અમદાવાદ સહિતના તમામ મુખ્ય શહેરોની હોસ્પિટલોના સુપર સ્પેશિયાલિટી વિભાગને Covid -19માં ફેરવી દીધા બાદ આઇસોલેશન વિભાગમાં કામ કરતા તમામ તબીબી સ્ટાફને 14 દિવસ સુધી હોટલમાં રાખવાની ગંભીર વિચારણા ચાલી રહી છે. હાલમાં કોરોનાના ડરને કારણે દર્દીઓની સેવા કરતાં મેડિકલ સ્ટાફને સામાન્ય લોકો એનકેન પ્રકારે હેરાન કરી રહ્યા છે. જો કે અંગે ગૃહમંત્રાલયે પણ સ્પષ્ટતા કરવી પડી હતી.
આઇસોલેશન સ્ટાફને ભાભા હોટેલમાં રૂમો ફાળવી દેવામાં આવી
મેડિકલ સ્ટાફની આજુબાજુમાં રહેતાં પાડોશી કોરોનાનો ગભરાટ તથા પરિવારના સભ્યોને ચેપ લાગવાની સંભાવનાના ડરે ડૉક્ટરો ઘરે જવાનું પણ ટાળે છે . ત્યારે આ તકેદારીના ભાગ રૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન સ્ટાફને ભાભા હોટેલમાં રૂમો ફાળવી દેવામાં આવી છે. અહીં તેમને ક્વોરેન્ટાઇનમાં રાખ્યા બાદ તેમના સ્વાસ્થ્યની ચકાસણી બાદ જ તેમને 14 દિવસ પછી ઘેર જવા દેવાની છૂટ આપવામાં આવશે. આ જ પેટર્ન અમદાવાદ વડોદરા સુરત અને ભાવનગર માં અપનાવવામાં આવશે.
ડ્યુટી પણ દર અઠવાડિયે બદલાશે
કોરોનાના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા મેડિકલ સ્ટાફની ડ્યુટી પણ દર અઠવાડિયે બદલાઈ જશે. આ વિભાગમાં કામ કરતા ડૉક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતના કર્મીઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવે છે. જેના કારણે તેમને પણ ચેપ લાગવાની શક્યતાઓ રહેલી છે.
પરિવારને પણ કોરોનાનું જોખમ
આ તમામ ડોક્ટર અને સ્ટાફ તેમના ઘેર જાય તો તેમના દ્વારા તેમના પરિવારને પણ કોરોનાનું જોખમ ઉભું થઇ શકે છે આ બાબતને ધ્યાનમાં લઈને તબીબી સ્ટાફના સ્વાસ્થ્યને ધ્યાને લઈને આ વ્યવસ્થા વિચારવામાં આવી છે જો કે કેટલાક તબીબો તેમની જાતે જ ઘેર જતા ન હોવાનું જાણવા મળે છે. આગામી સમયમાં મેડિકલ સ્ટાફ માટે હોટલમાં 14 દિવસના કોરોન્ટાઈલનની પણ વ્યવસ્થા કરાશે.