કોરોના વાયરસના પોઝિટિવ કેસોના દર્દીઓ પર નજર રાખવા માટે દેશના ચાર રાજ્યોએ મેડિકલ સ્ટોર્સને તાવ, શરદી અને ઉધરસની દવા ખરીદનારાઓનો રેકોર્ડ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઇને મેડિકલ સ્ટોર્સવાળાએ ગ્રાહકનું નામ, સરનામુ તેમજ ટેલિફોન નંબરની યાદી બનાવી પડશે.
આમ જે રાજ્યોમાં મેડિકલ સ્ટોર્સવાળાને યાદી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો તે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જણાવામાં આવ્યું છે કે દવા ખરીદનારાઓની આ યાદી મુજબ આ તેઓનો કોરોના ટેસ્ટ કરાવો કે નહીં તે અંગે નિર્ણય લઇ શકાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ હોવા છતાં તેઓ પોતાના લક્ષણ છુપાવી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. જો કે કોરોનાના ઘણા દર્દીઓ પોતાના લક્ષણ છુપાવવા માટે આ દવાઓનું સેવન કરી રહ્યાં છે.
આ લોકો કોરોનાના ટેસ્ટથી બચવા માટે આવું કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. જો કે લોકો ડરી રહ્યાં છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે તેઓને લાગે છે કે જો તેઓમાં કોરોના પોઝિટવ આવશે તો તેઓને 14 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડશે. જેના ડરના કારણે લોકો પેરાસિટામોલ અને તાવના ઉપયોગની દવાઓ લઇ રહ્યાં છે.
એક અંગ્રેજી ન્યૂઝ પેપર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' ના જણાવ્યાં મુજબ આ પ્રકારના કેસ તેલંગાણામાં વધુ જોવા મલ્યાં છે, જેમાં લોકો પોતાની જાતે તાવની દવા લઇને ઘરમાં રહેતા હતા જો કે ત્યારબાદ રિપોર્ટ કરાવતાં તેઓમાં પોઝિટિવ આવ્યો. જેને લઇને રાજ્ય સરકાર હરકતમાં આવતાં મેડિકલ સ્ટોરના એસોસિયેશન સાથે બેઠક બોલાવ્યાં બાદ આ અંગનો નિર્ણય લીધો.
આ સાથે દેશમાં અત્યાર સુધીમાં જ્યાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસોનો આંકડો જોવા મળી રહ્યો છે તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં પણ મેડિકલ સ્ટોર્સના વેપારીઓને આ અંગેનો રેકોર્ડ રાખવા જણાવામાં આવ્યું છે. આ સાથે આદેશ પણ આપવામાં આવ્યાં છે કે આ પ્રકારની દવા તબીબના સુચન વગર આવનારા લોકોને આપવી નહીં. આ સાથે બિહારમાં પણ આ પ્રકારની મેડિકલ એસોસિયશનને સુચના આપવામાં આવી છે.