રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ઓટોપ્સી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 6 મૃતદેહોની ઓટોપ્સી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
સિવિલ હોસ્પિટલમાં 6 મૃતદેહોની ઓટોપ્સી
કોરોનાથી ફેફસામાં અસર થતી હોવાનું તારણ
ન્યૂમોનિયા-કેન્સરથી ફેફસાના અમુક ભાગમાં અસર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ઓટોપ્સી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 6 મૃતદેહોની ઓટોપ્સી કરવામાં આવી હતી. કોરોના નરમ ફેફસાને શેકેલી બ્રેડ જેવા કરી દે છે તેવું ઓટોપ્સીનું તારણ છે.
ન્યૂમોનિયા-કેન્સરથી ફેફસાના અમુક ભાગમાં અસર
ન્યૂમોનિયા-કેન્સરથી ફેફસાના અમુક ભાગમાં અસર થાય છે. કોરોનાથી સમગ્ર ફેફસામાં અસર થતી હોવાનું તારણ સામે આવ્યું છે. ઓટોપ્સીના તારણથી બચવાના ઉપાય મળવાના તબીબોને આશા છે.
ફાઈબ્રોસિસ ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે
કોરોના વાયરસને કારણે ફેફસાંમાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. જેને કારણે બોડીમાંથી ફેફસાં કાઢ્યાં ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગ્યું હતું. ફાઈબ્રોસિસ ટી. બી. અને ન્યુમોનિયામાં પણ થાય છે. જોકે, એ ઉપર અને નીચેના જ ભાગમાં હોય પણ કોરોનામાં બધી જ જગ્યાએ ફાઈબ્રોસિસ થઈ ગયું હતું. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે, સાચું કારણ રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.
સિવિલમાં આશરે 20 શબોનું પરીક્ષણ કરાશે
સિવિલમાં આશરે 20 શબોનું પરીક્ષણ કરાશે અને તેના સેમ્પલ લઈને સંશોધન બાદ તારણો બહાર પડાશે. તબીબોએ જણાવ્યું કે આ રિસર્ચથી કોરોનાના દર્દીને બચાવવા કેવી સારવાર આપવી તે અંગે અમે ઉપયોગી તારણો આપી શકીશું તેવી આશા છે. આજ સુધીમાં 6 મૃતદેહોની ઓટોપ્સી થઈ છે.