ડબ્લ્યૂએચઓએ એકવાર ફરી દુનિયાને ચેતવી છે કે કોરોના ખતમ નથી થયો. આ ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા ઈચ્છશે.
આ મહામારી ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા ઈચ્છશે- WHO ચીફ
આ આપણા હાથમાં છે. આપણી પાસે તે ઉપકરણો છે જેની આપણને જરુર છે- WHO ચીફ
પ્રમુખે દુનિયાભરના દેશોને રસીકરણની સ્પીડ વધારવાની અપીલ કરી
આ મહામારી ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા ઈચ્છશે- WHO ચીફ
કોરોના વાયરસનો કેર ભલે થોડો ઓછો થયો હોય પણ ખતમ નથી થયો. ડબ્લ્યૂએચઓના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ઘેબરિયસે એકવાર ફરી દુનિયાને ચેતવી છે કે કોરોના ખતમ નથી થયો અને દુનિયાને પહોંચી વળવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપકરણોને અસરકારીક રીતે ઉપયોગ કરવાની જરુર છે. ડબ્લ્યૂએચઓના પ્રમુખે જણાવ્યું કે આ મહામારી ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને ખતમ કરવા ઈચ્છશે.
આ આપણા હાથમાં છે. આપણી પાસે તે ઉપકરણો છે જેની આપણને જરુર છે- WHO ચીફ
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ બર્લિનમાં વર્લ્ડ હેલ્થ સમિટને સંબોધિત કરતા કહ્યું કે કોરોના મહામારી ત્યારે ખતમ થશે જ્યારે દુનિયા તેને સમાપ્ત કરવા માંગશે. આ આપણા હાથમાં છે. આપણી પાસે તે ઉપકરણો છે જેની આપણને જરુર છે. અસરકારક સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપકરણ અને પ્રભાવી ચિકિત્સા ઉપકરણ. પરંતુ દુનિયાએ આ ઉપકરણોનો સારી રીતે ઉપયોગ નથી કર્યો. એક અઠવાડિયામાં લગભગ 50 હજાર મોત થયા છે. આ પ્રકારની મહામારી ખતન નહીં થાય.
પ્રમુખે દુનિયાભરના દેશોને રસીકરણની સ્પીડ વધારવાની અપીલ કરી
વિશ્વ નિકાયના પ્રમુખે જી-20 દેશોને પણ આગ્રહ કર્યો છે કે તે પોતાની 40 ટકા વસ્તીને કોવૈક્સ તંત્ર અને આફ્રીકન રસી અધિગ્રહણ ટ્રસ્ટમાં સક્રિય રુપથી સામેલ કરે. પ્રમુખે દુનિયાભરના દેશોને રસીકરણની સ્પીડ વધારવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા ડબ્લ્યૂએચઓએ અનેક વાર દુનિયાને કોરોનાને લઈને ચેતવી છે.
બીજી તરફ ભારતમાં કોરોનાના મોતના આંકડા ડરાવાનું શરુ કર્યુ છે. 24 કલાકમાં 443 લોકોના મોત થયા તો એક દિવસમાં 14306 કેસ આવ્યા છે. આ રીતે દેશમાં કુલ કેસની સંખ્યા 3, 41, 89, 774 તો મોતનો આંક 4, 54, 712 થઈ ગયો છે.