દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર જોવા મળી રહ્યો છે. કુલ 4,72,381થી વધારે કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધાયા છે. જ્યારે 21000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે નોબલ પૂરસ્કારથી સન્માનિત સ્ટેનફોર્ડ બાયોફિજિસિસ્ટ માઇકલ લેવિટનું કહેવું છે કે કોરોના વાયરસનો સૌથી ખરાબ સમય કદાચ પહેલા જ ખતમ થઇ ચૂક્યો છે.
લેવિટની ચીનના કોરોના વાયરસની મહામારીથી બહાર આવવાની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ
દુનિયાભરમાં અત્યાર સુધીમાં કુલ 4,72,381થી વધારે કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધાયા છે
તેઓએ કહ્યું કે કોરોના વાયરસથી જેટલુ નુકશાન થવાનું હતું, તે થઇ ચૂક્યું છે હવે ધીર-ધીરે સ્થિતિ સુધરશે. લૉસ એન્જલ્સ ટાઇમ્સ સાથેની વાતચીતમાં માઇકલે કહ્યું, વાસ્તવિક સ્થિતિ એટલી ભયાવહ નથી જેટલી આશંકા દર્શાવાઇ રહી છે. દરેક જગ્યાએ ડર અને ચિંતાના માહોલમાં લેવિટનું આ નિવેદન ઘણું રાહત આપનારું છે.
તેમનું નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમકે તેઓ દ્વારા ચીનના કોરોના વાયરસની મહામારીથી બહાર આવવાને લઇને જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી સાબિત થઇ છે. તમામ હેલ્થ એક્સપર્ટ દાવો કરી રહ્યા હતા કે ચીનને કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં લાંબો સમય લાગી જશે પરંતુ લેવિટે આ વિશે સાચુ આકલન કર્યું.
લેવિટે ફેબ્રુઆરી મહીનામાં લખ્યું હતું કે, રોજ કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી એ સાબિત થાય છે કે આવતા સપ્તાહે મોતનો આંકડાનો દર ઘટવા લાગશે. તેમની ભવિષ્યવાણી મુજબ રોજ વાયરસથી મોતની સંખ્યાં ઘટાડો આવવા લાગશે. દુનિયાના અનુમાનથી વિરુદ્ધ ચીન જલ્દી જ ફરી પાછું બેઠુ થયું. બે મહીનાના લૉકડાઉન બાદ સૌથી વધારે પ્રભાવિત ચીનનું હુબેઇ ફરી ખુલશે.
નોબલ વિજેતા લેવિટે ચીનમાં કોરોના વાયરસથી 3250 મોત અને 80000 કેસનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે બાકી એક્સપર્ટ્સ લાખોમાં ગણતરી કરી રહ્યા હતા. મંગળવાર સુધીમાં ચીનમાં 3277 મોત અને 81171 કેસ સામે આવ્યા.
હવે લેવિટ આખી દુનિયામાં પણ ચીન વાળો ટ્રેન્ડ જોઇ રહ્યા છે. 78 દેશોના ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ તેઓે કહે છે કે મોટાભાગની જગ્યાઓ પર રિકવરીના સંકેત મળી રહ્યા છે. તેમની ગણતરી દરેક દેશમાં કોરોના વાયરસના કુલ કેસ પર નહીં પરંતુ દરેક દિવસે નોંધાઇ રહેલા નવા કેસ પર આધારિત છે. લેવિટ કહે છે કે ચીન અને દક્ષિણ કોરિયામાં નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
તેઓનું માનવું છે કે આંકડા અલગ હોઇ શકે છે અને ઘણા દેશોમાં સત્તાવાર આંકડા એટલા માટે પણ ખુબ જ ઓછા છે કેમકે ટેસ્ટિંગ ઓછું થઇ રહ્યું છે. જોકે, તેઓનું માનવું છે કે અધુરા આંકડાઓ છતા સતત ઘટાડાનો એ અર્થ છે કે કંઇક છે જે કામ કરી રહ્યું છે અને આ માત્ર નંબર ગેમ નથી.
લેવિટનું આ નિષ્કર્ષ દુનિયાભરમાં લાખો લોકો માટે નવી આશા લઇને આવ્યું છે. લેવિટ તમામ દેશોમાં કોરોના વાયરસને જડથી ખતમ કરવા પર જોર આપી રહ્યા છે. તેમના મતે સોશિયલ ડિસ્ટેન્સિંગ સૌથી જરૂરી છે. ખાસ કરીને એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠા ન થાય. તેઓનું કહેવુ છે કે આ વાયરસ એટલો નવો છે કે મોટાભાગની વસ્તીની પાસે તેની સામે લડવાની ઇમ્યુનિટી નથી તથા વેક્સીન બનાવવામાં હજુ મહીનાઓનો સમય લાગશે. તેઓ કહે છે કે લક્ષ્ય સુધી પહોંચવા માટે શરૂઆતમાં જ ઓળખ કરવી જરૂરી છે, ન માત્ર ટેસ્ટિંગ પરંતુ બોડી ટેમ્પરેચર સર્વિલાન્સથી પણ જે ચીન પોતાને ત્યાં લાગુ કરી રહ્યું છે અને શરૂઆતમાં જ સોશિયલ આઇસોલેશન કરી રહ્યું છે.
લેવિટે મુજબ, ઇટાલીની વેક્સીન વિરોધી માનસિકતા જ કદાચ એક મજબૂત કારણ હતું કે ત્યાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ ગયો.
તેઓે કહ્યું કે પેનિક કંટ્રોલ કરવો સૌથી વધારે જરૂરી છે. આપણે ઠીક થવા જઇ રહ્યા છીએ. 2013માં રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રે નોબલ પૂરસ્કાર જીતનારા લેવિટે તમામ વૈજ્ઞાનિકો અને મેડિકલ એક્સપર્ટસની એ ભવિષ્યવાણીને ફગાવી દીધી છે જેમા કહેવામાં આવ્યું કે દુનિયાનો અંત થવા જઈ રહ્યો છે.