ગત 25 માર્ચથી લાગૂ લૉકડાઉન 3 મેના ખત્મ થઇ જશે તેવી સંભાવના લાગી રહી છે, જે પછી ફરીથી હવાઇ સફર શરૂ થશે. પરંતુ દેશના એરપોર્ટ ઘણા અલગ-અલગ દેખાશે. એક રિપોર્ટ અનુસાર, હવાઇ સફરને લઇને નવી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.
ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર, ''એમ માનીને ચાલવામાં આવી રહ્યુ છે કે, શરૂઆતમાં મોટા (મેટ્રો અથવા ટિઅર 1) શહેરો, કેટલાક રાજ્યોની રાજધાનીઓ અને કેટલાક પ્રમુખ ટિઅર 2 શહેરો માટે વિમાન સેવા શરૂ કરવામાં આવશે.''
આ ગાઇડલાઇનમાં આગળ લખવામાં આવ્યુ છે કે, ''જો કોઇ એરપોર્ટની પાસે એકથી વધારે ટર્મિનલ છે, તો શરૂઆતી દિવસમાં એક ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવે. આ સિવાય એરપોર્ટ પર યાત્રીઓના સામાન પહોંચાડવા માટે ઘણી સુવિધાઓ છે તો તેનો ઉપયોગ વચ્ચે એક એક છોડીને કરવામાં આવે જેથી સોશ્યલ ડિસ્ટેન્સિંગ મેન્ટેન રહે. જ્યાં સુધી બધુ નિયમિત ના થાય ત્યાં સુધી ખાણી-પીણીના સ્ટોર તથા શોપિંગની દુકાન સીમિત સમયમાં ખુલવી જોઇએ. એરપોર્ટ સ્થિત રેસ્ટોરા અને પબમાં ત્યારે જ સર્વિસ આપવામાં આવ્યા જ્યાં સુધી સંબંધિત રાજ્ય સરકાર તેની પરવાનગી ના આપે.''
આ વચ્ચે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને હવાઇ સફર કરનારા યાત્રીઓની સંખ્યામાં આંકડા જારી કર્યા છે. આંકડા અનુસરા, યાત્રીઓની સંખ્યામાં આ વર્ષના માર્ચ મહિનામાં વર્ષ પહેલાની સરખામણીમાં 11.8 % નો ઘટાડો થયો છે.