કોરોના વાયરસને કારણે દેશભરમાં 40 દિવસનું લૉકડાઉન છે. તેના કારણે દેશની ઇકોનોમી ખરાબ રીતે પ્રભાવિત થઇ રહી છે. લૉકડાઉન વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે વાતચીત કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ રઘુરામ રાજન સાથે દેશની ઇકોનોમીના પડકારો અને ઉપાય વિશે જાણકારી મેળવી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે વાતચીત કરી
રઘુરામ રાજન મુજબ દેશમાં જારી લૉકડાઉન વચ્ચે ગરીબોની મદદ કરવી જરૂરી : રઘુરામ રાજન
જાણો, શું કહ્યું રઘુરામ રાજને :
1 રઘુરામ રાજને કહ્યું કે લૉકડાઉન હંમેશા માટે જારી ન રાખી શકાય અને હવે આર્થિક ગતિવિધિઓને ખોલવાની જરૂર છે જેથી લોકો પોતાના કામ-ધંધા ફરી શરૂ કરી શકે. જોકે, તેઓએ એમ પણ કહ્યું કે આ પગલુ સાવધાની પૂર્વક ઉઠાવવું જોઇએ.
2 રાજને કહ્યું કે કોરોના વાયરસનો સામનો કરવા માટે ભારત જે પણ પગલુ ઉઠાવશે, તેના માટે બજેટ એક સીમા છે. રઘુરામ રાજન મુજબ આ સમયે ગરીબોની મદદ કરવી જરૂરી છે. જેના માટે સરકારના લગભગ 65,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. આપણે તેની વ્યવસ્થા કરી શકીએ છીએ કેમકે આપણી અર્થવ્યવસ્થા 200 લાખ કરોડ રૂપિયાની છે.
We need to find ways of getting both money & food, through public distribution system, to as many people as we can: Dr. Raghuram Rajan responds to Shri @RahulGandhi's question on how we can help the poor during this crisis. #RahulShowsTheWaypic.twitter.com/uo4e97r0fp
3 રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારત એક મોટી ભૂમિકા નિભાવી શકે છે. શક્તિહીન લોકોને શક્તિશાળી નેતા સારા લાગે છે, આપણે એક વિભાજિત સમાજ સાથે ક્યાંય પહોંચી ન શકીએ.
4 રઘુરામ રાજન અનુસાર, આજે સ્વાસ્થ્ય, નોકરી માટે સારી વ્યવસ્થા કરવાની જરૂર છે.
5 રઘુરામ રાજને આગળ કહ્યું કે મને લાગે છે કે ગ્લોબલ આર્થિક સિસ્ટમમાં કંઇક ખોટુ છે. લોકોની પાસે નોકરી નથી. જેમની પાસે નોકરી છે તેમને આગળની ચિંતા છે. આવકની અસમાન વહેંચણી થઇ રહી છે. તકની સાચી રીતે વહેંચણી કરવી પડશે. રઘુરામ રાજન મુજબ, આ સમયે ભારત માટે પોતાની ઇન્ડસ્ટ્રી આગળ વધારવાની તક છે.
It's interesting that you said infrastructure connects people and that gives opportunity. But, if there is division & hatred, that disconnects people. That’s also infrastructure, one of division and hatred, and that causes as big a problem: Shri @RahulGandhi#RahulShowsTheWaypic.twitter.com/4vy1CHLtsq
6 રાજને કહ્યું કે આપણી પાસે લોકોના જીવનને વધુ સારી બનાવવાની રીત છે. ફૂડ, હેલ્થ એજ્યુકેશન પર ઘણા રાજ્યોએ સારુ કામ કર્યું છે. પરંતુ સૌથી મોટો પડકાર લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ સમક્ષ છે, જેમની પાસે સારી નોકરી નહીં હોય.
રઘુરામ રાજને કહ્યું કે લૉકડાઉન બાદ ભારતના સંદર્ભમાં અત્યાર સુધીમાં જે આંકડા આવ્યા છે તે ચિંતાજનક છે. રઘુરામ રાજને કહ્યું કે જો આપ CMIE (સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી) ના આંકડાઓ જુઓ તો કોરોના વાયરસના કારણે વધુ 10 કરોડ લોકોની રોજગારી છિનવાઇ ગઇ છે. આપણે અર્થવ્યવસ્થાને એ રીતે ખોલવી પડશે કે લોકો ફરીથી કામ પર પરત ફરી શકે.