દુનિયા ભરમાં કહેર વર્તાવનારા કોરોનાએ ઝારખંડનો એક હસ્તો રમતો પરિવાર વિખેરી દીધો છે. દેશમાં પહેલી એવી ઘટના બની છે. જેમાં કે જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય સભ્યોની હાલત ખૂબ નાજુક છે. માતાનું કોરોનાથી મોત થતા 5 દિકરાઓએ કાંધ આપી હતી. એ પાંચેય દિકરાઓનું મોત નિપજ્યું છે. જ્યારે છઠ્ઠો દિકરો નાજૂક છે.
ઝારખંડમાં કોરોનાથી એક જ પરિવારના 6 લોકોના મોત
પહેાલ માતા પછી 5 પુત્રોના કોરોનાનો શિકાર થતા મોત
છઠ્ઠા દિકરાની હાલત પણ નાજૂક
વુદ્ધ મહિલા દિલ્હીમાં એક લગ્નમાં હાજરી આપી પાછી ફરી હતી
કોરોનાને લીધે ઝારખંડના ધનબાદમાં કતરાસ વિસ્તારમાં પરિવારના છઠ્ઠા સભ્યનું મોત નિપજ્યું છે. 4 જુલાઈના રોજ 86 વર્ષીય વૃદ્ધાનું મોત એક નર્સિંગ હોમમાં થયું હતુ. તેના મૃતદેહની તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે તે કોરોના પોઝિટિવ હતી. એ બાદ તેના એક દિકરાનું મોત રાંચીની રિમ્સ હોસ્પિટલમાં થયું હતુ. થોડાક દિવસ બાદ બીજા દિકરાનું મોત નિપજ્યું હતુ. 15 દિવસથી આ પરિવારમાં મોતનું તાંડવ ચાલી રહ્યું છે.
મોતનું તાંડવ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું ત્રીજો દિકરો ધનબાદમાં ખાનગી ક્વોરેન્ટાઈનમાં સેન્ટરમાં હતા. જ્યાં તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે ડોકટરે મૃત જાહેર કર્યો હતો. એ બાદ 16 જુલાઈના રોજ ચૌથા દિકરાને કેન્સરની બિમારી હતી. તેનું કોરોનાથી સારવાર દરમિયાન મોત થયું હતુ. 5માં દિકરાનું મોત કોવિડ હોસ્પિટલમાં રિફર કર્યા બાદ રાંચીના રિમ્સ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યુ હતુ. તેણે સોમવારે છેલ્લા શ્વાસ લીધા હતા. એક માતાના મૃત્યુ બાદ તેના 5 દિકરાઓના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં મહિલા દિલ્હીમાં એક લગ્ન સમારોહમાં ભાગ લઈને પાછી ફરી હતી. અચાનક તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલ લઈ જતા તેનું મોત નિપજ્યુ એ બાદથી આ પરિવારમાં મોતનો ખેસ શરુ થયો હતો. સ્થાનીકોનું કહેવું છે કે ગત મહિને તેમના પરિવારમાં લગ્ન હોઈ ખુશીઓનો માહોલ હતો. પરિવાર આનંદમાં મગ્ન હતો. અચાનક આ કહેરને કારણે પરિવાર વિખેરાઈ ગયો છે. વૃદ્ધાના છઠ્ઠા દિકરાની હાલત ખુબ ખરાબ છે. અન્ય સભ્યોની હાલત પણ નાજૂક છે.