ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશની સરકારથી લઇને મોટા ઉદ્યોગપતિ અને મોટી સંસ્થાઓ આ મુશ્કેલ સમયમાં કોરોના વાયરસની મહામારીથી લડવા માટે આગળ આવી રહી છે. દેશની મોટી વાહન નિર્માતા કંપની બજાજ ગ્રુપ (Bajaj Group)એ આજે કોરોના વાયરસની આ મહામારીથી લડવા માટે 100 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો
બજાજ ગ્રુપે કોરોના વાયરસની આ મહામારીથી લડવા 100 કરોડ રૂપિયાની મદદ જાહેર કરી
બજાજ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જાહેરાત કરી છે કે આ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે તૈયાર છીએ અને આ મામલે કંપની 100 કરોડ રૂપિયાની મદદ કરશે. કંપનીનું કહેવું છે કે તે સરકાર અને 200થી વધારે એનજીઓ (NGO) ના માધ્યમથી દેશભરમાં તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશે. કંપની હેલ્થકેયર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે સારી બનાવવાની સાથે જ હોસ્પિટલોમાં આઇસીયૂ અને અન્ય સુવિધાઓને મજબૂત બનાવવામાં મદદ કરશે.
પૂણે સ્થિત બજાજ કંપનીના પ્લાન્ટમાં હાલ કોરોના વાયરસના સંક્રમણને પગલે પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે તમામ કર્મચારીઓને રજા પણ આપી દેવામાં આવી છે. કંપની પૂણેમાં પિંપરી, ચિંચવાડા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની મદદ કરવાની જાહેરાત કરી છે.
ભોજન અને શેલ્ટર હોમ વ્યવસ્થા કરશે
કોરોના વાયરસથી સૌથી વધારે એ લોકો પ્રભાવિત થયા છે જે રોજ છુટક મજુરી કરીને પોતાનુ અને પોતાના પરિવારની જરૂરીયાત પુરી કરે છે. કંપની એવા લોકોની મદદ માટે ભોજન, શેલ્ટર વગેરેની વ્યવસ્થા કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે તે દેશના અલગ-અલગ ભાગોમાં એવી જગ્યાની પસંદગી કરી રહી છે જ્યાં લોકોને ભોજન, શેલ્ટર, સેનેટાઇજેશન વગેરે ઉપલબ્ધ કરાવી શકાય.
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના 656 કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોના આ ભયાનક બીમારીથી મોત થઇ ગયા છે. કોરોના વાયરસની મહામારીને પગલે કેન્દ્ર સરકારે 21 દિવસ માટે દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.