ચીનમાં કોરોનાં વાયરસને કારણે તમામ દેશ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢી પોતાના દેશ પરત લાવી રહ્યાં છે. ત્યારે પાકિસ્તાન એવું મુર્ખ છે કે તેણો પોતાના નાગરિકોને બહાર કાઢવાની તસ્દી સુદ્ધા નથી લીધી. તેણે પોતાની ચીન જતી તમામ ફ્લાઈટો રદ્દ કરી. એટલું જ નહી પાક પોતાના નાગરિકોને બહાર કાઢવાની જગ્યાએ સુફીયાણી વાતો કરે છે. બીજી તરફ પાક રાષ્ટ્રપતિએ એવી વાત કરી તમે હસવાનું રોકી નહીં શકો.
પાકિસ્તાની રાષ્ટ્રપતિએ કહી સૂફીયાણી વાત
પાકિસ્તાની નાગરિકો ચીનમાં ફસાયા વીડિયોમાં કહી રહ્યા છે પાકની બેદરકારીની વાત
પાકિસ્તાને પોતાની ચીન જતી તમામ ફ્લાઈટો રદ કરી
પાકિસ્તાની વિદ્યાર્થીનો વીડિયો વાયરલ
Pakistani student in Wuhan shows how Indian students are being evacuated by their govt. While Pakistanis are left there to die by the govt of Pakistan: pic.twitter.com/86LthXG593
ચીનના વિહાન શહેરમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને એક પાકિસ્તાની વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થી આ વીડિયોમાં પોતાની આપવીતિ જણાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે, ભારત અને બાંગ્લાદેશ પોતાના વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે છે. એમને અહીથી લઈ જવાની વ્યવસ્થા કરી છે. પરંતુ પાકિસ્તાનની સરકારને કઈ ફરક નથી પડતો. તેના વિદ્યાર્થીઓ જીવે કે મરે પરંતુ તેના પેટનું પાણી નથી હલતુ.
રાષ્ટ્રપતિની સુફીયાણી વાતો
The Pakistani students in China have to be helped in every way and brought back to Pakistan fulfilling all international health requirements ensuring their health and safety. https://t.co/bCfwYmKRZc
પાકિસ્તાનનાં 410 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે ત્યારે પાકિસ્તાન સૂફિયાણી વાતો કરી રહ્યું છે. કોરોના મુદ્દે પાક. રાષ્ટ્રપતિએ વિચિત્ર જવાબ આપ્યો હતો. રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ વિચિત્ર તર્ક આપતા કહ્યું હતું કે, "બિમારી ફેલાય તો ત્યાંથી ભાગવું ન જોઈએ. બિમારીમાં ફસાયેલા લોકોની મદદ કરવી જોઈએ.’ વિદ્યાર્થીઓને બહાર કાઢવાને બદલે સલાહ આપી હતી કે, ‘કોરોનાને કારણે 300 લોકોનાં મોત થઈ ચુક્યા છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ચીનમાં મદદ માટે રાહ જોઈ રહ્યા છે. ચીનમાં વિદ્યાર્થીઓને સહાય નથી મળી રહી. પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ વિરોધ કરી ચુક્યા છે.’
પાકિસ્તાને ચીનની ફ્લાઈટો આજ દિન સુધીની રદ કરી છે
પાકિસ્તાને શુક્રવારે અસરગ્રસ્ત ચીનમાં અવરજવર કરનારા વિમાનોની અવરજવર રોકી દીધી છે. ચીનમાં કોરા વાયરસનાં કહેરથી મરનારા લોકોની સંખ્યા વધીને 213 સુધી પહોંચી ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ આ સ્થિતિને જોઈ મેડિકલ ઈમરજન્સી જાહેર કરી છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન’એ સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા એક સત્તાવાર જાહેરાત કરતા કહ્યું છે કે , ‘પાકિસ્તાન અને ચીનની વચ્ચે સીધી ફ્લાઈટોને 2 ફેબ્રુઆરી સુધી રોકી દીધી છે. તેનું કારણ જણાવતા કહ્યું હતું કે આ નિર્ણય પર પછીથી સમીક્ષા કરવામાં આવશે. આ પહેલા પાકિસ્તાને બીજિંગ જતી ફ્લાઈટો રોકી દીધી હતી.