દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરના કારણે સ્થિતિ રોજબરોજ બગડતી જઈ રહી છે, અને ઘણા રાજ્યોમાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને આઇસીયુ બેડની પણ અછત પડી રહી છે.
કોરોનાના કેસો વધતાં ઓક્સિજનની ડિમાન્ડ વધી છે
ઘણા રાજ્યોમાં ઓક્સિજનની અછત થતાં કેન્દ્ર પાસે રાજ્યો માંગણી કરી રહ્યા છે
હાલમાં દેશના ઘણા ભાગમાં ઓક્સિજન, આઇસીયુ બેડ વગેરેની અછત છે
હજુ થોડા સમય પહેલા જ પીએમ મોદીએ ઓક્સિજનની હાલત અંગે દેશમાં સમીક્ષા કરી હતી અને રાજ્યોને તાકીદ કરી હતી કે ઓક્સિજનના કોઈ પણ વાહનને કોઈ પણ પ્રકારના અંકુશ વગર મુક્તપણે જાવા દેવામાં આવે, આની સિવાય પણ મોદી સરકારે ઉદ્યોગોની જગ્યાએ ઓક્સિજનના પુરવઠાને મેડિકલ સપ્લાય તરફ વાળવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે ઓક્સિજનની સપ્લાયને લઈને દિલ્હી હાઇકોર્ટ દ્વારા પણ મોદી સરકારને ખરી ખોટી સંભળાવવામાં આવી હતી.
હરિયાણામાં બની ટેન્કર ચોરીની ઘટના
પોલીસે જણાવ્યું છે કે તે આ કેસની તપાસ કરી રહી છે. મેડિકલ ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે કારણ કે કોરોના વાયરસના ચેપના કેસોમાં વધારો થયો છે. હરિયાણાના પાણીપતથી પ્રવાહી ઓક્સિજન ભરેલું એક ટેન્કર ગુમ થઈ ગયું હતું, ત્યારબાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાણીપત પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, જિલ્લા ડ્રગ કંટ્રોલરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.
પાણીપતમાં મટલાઉદા પોલીસ સ્ટેશનના પ્રભારી મનજીતસિંહે જણાવ્યું હતું કે ટેનિકર બુધવારે પાણીપત પ્લાન્ટમાંથી પ્રવાહી ઓક્સિજન ભરીને સીરસા તરફ રવાના થયો હતો, પરંતુ તે તેના લક્ષ્યસ્થાન પર પહોંચ્યો ન હતો. તેમણે કહ્યું, "અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ."
કોરોના કેસમાં વધારો થતાં ડિમાન્ડ વધી છે
મહત્વનું છે કે હાલમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં પણ વધારો થયો છે કારણ કે કોરોના વાયરસના ચેપના કેસોમાં વધારો થયો છે. બુધવારે અન્ય એક ઘટનામાં હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓ માટે ઓક્સિજન લઇને પાણીપતથી ફરીદાબાદ જતા ટેન્કરને દિલ્હીની સરહદમાંથી પસાર થતાં દિલ્હી સરકારે 'લૂંટ' કરી હતી.