આ પહેલા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના વાયરસના પગલે જેલથી કેદીઓને મુક્ત કરવાનું એલાન કર્યું હતું. યોગી સરકારે ભીડ ઓછી કરવાના હેતુથી આ પગલુ ઉઠાવ્યું છે. જેથી કોરોના વાયરસ ઉત્તર પ્રદેશની જેલોમાં ન ફેલાય. યોગી સરકારે 11 હજાર કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસનોં આંકડો 50 પર પહોંચી ગયો છે.
જ્યારે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 930 પર પહોંચી ગઇ છે. તેમાંથી 22 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. જ્યારે 82 લોકો ઠીક થઇ ચૂક્યા છે. કોરોના વાયરસનો સામનો કરવા પીએમ મોદીએ 21 દિવસ માટે દેશભરમાં લૉકડાઉનનું એલાન કર્યું છે.
ચીનના વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ ભારત જ નહીં, આખી દુનિયામાં કહેર વરસાવી રહ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોનો આંકડો 6 લાખને પાર પહોંચી ચૂક્યો છે. જેમાંથી 28,000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.