દેશમાં અત્યાર સુધી 15 લાખ 83 હજાર 792 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. એક દિવસમાં પહેલી વાર કોરોનાના 52123 કેસ આવ્યા છે અને સાથે 775 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 10 લાખ 20 હજાર 582 લોકો રિકવર થઈ ચૂક્યા છે અને સાથે મૃત્યુઆંક 35 હજારને પાર કરી ચૂક્યો છે.
દેશમાં વધ્યો કોરોનાનો વિસ્ફોટ
24 કલાકમાં 52123 નવા કેસ, 775 મોત
દેશમાં કોરોનાનો કુલ આંક 15 લાખ 83 હજાર 792 પહોંચ્યો
भारत में पिछले 24 घंटों में #COVID19 के 52,123 मामले सामने आए हैं और 775 लोगों की मौत हुई है। कोरोना पॉजिटिव मामलों की कुल संख्या अब 15,83,792 हो गई है जिसमें 5,28,242 सक्रिय मामले, 10,20,582 ठीक / डिस्चार्ज और 34,968 मौतें शामिल हैं: स्वास्थ्य मंत्रालय pic.twitter.com/NXUTbIuOrh
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં કોરોનાના હજુ પણ 5 લાખ 28 હજાર 242 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 34 હજાર 968 દર્દીના જીવ ગયા છે અને સાથે સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 10 લાખ 20 હજાર 582 લોકો રિકવર થઈ ચૂક્યા છે. ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં કોરોનાના 15 લાખથી વધુ કેસ આવી ચૂક્યા છે. અમેરિકા અને બ્રાઝિલ ભારતથી આગળ છે. અમેરિકામાં 45 લાખથી વધુ અને બ્રાઝિલમાં 25 લાખથી વધુ કેસ છે. વધતા કેસ ભારતની ચિંતા પણ વધારી રહ્યા છે.
भारत में पिछले 24 घंटों में #COVID19 के 52,123 मामले सामने आए हैं और 775 लोगों की मौत हुई है। कोरोना पॉजिटिव मामलों की कुल संख्या अब 15,83,792 हो गई है जिसमें 5,28,242 सक्रिय मामले, 10,20,582 ठीक / डिस्चार्ज और 34,968 मौतें शामिल हैं: स्वास्थ्य मंत्रालय pic.twitter.com/NXUTbIuOrh
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોનો આંક 4 લાખને પાર થયો છે જ્યારે સંક્રમણના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં 31 ઓગસ્ટ અને ત્રિપુરામાં 4 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે.
29 जुलाई तक टेस्ट किए गए #COVID19 सैंपलों की कुल संख्या 1,81,90,382 है, जिसमें 4,46,642 सैंपलों का टेस्ट कल किया गया: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) pic.twitter.com/DXx5R6Rd9a
રોજ થાય છે આટલા ટેસ્ટ, રિકવરી રેટ 64 ટકાએ પહોંચ્યો
ICMRના આધારે દેશમાં અત્યાર સુધીમાં 1, 81, 90,382 ટેસ્ટ થયા છે. બુધવારે કુલ 4 લાખ 46 હજાર 642 સેમ્પલના ટેસ્ટ થયા હતા. રોજ નવા કેસની સંખ્યાની વાત કરીએ તો તે 50 હજાર સુધી પહોંચી છે. અહીં સાજા થનારા દર્દીની સંખ્યા 40 હજારને પાર થઈ છે. દર્દી વધવા છતાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. રિકવરીનો રેટ ધીમો છે. દેશમાં 64 ટકા દર્દીઓ સાજા થયા છે.
કોરોના સંક્રમણમાં દિલ્હી ત્રીજા ક્રમે, આ રાજ્યોમાં થાય છે સૌથી વધુ મોત
દિલ્હીમાં કોરોના અત્યાર સુધી 1 લાખ 32 હજાર 275ની સંખ્યાને પાર કરી ચૂક્યો છે, સંક્રમણની રીતે તે ત્રીજા નંબરે છે. દેશમાં કોરોનાનો મૃત્યુઆંક બુધવારે 35 હજાર થયો છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 298 મોત થયા છે. અહીં મૃત્યુઆંક 14463 થયો છે. કર્ણાટકમાં 90 દર્દીઓના જીવ ગયા છે. અહીં કુલ મૃત્યુઆંક 2147 થયો છે. તમિલનાડુમાં કુલ મૃત્યુઆંક 3741 થયો છે. તો આંધ્રપ્રદેશમાં અત્યારસુધીમાં 1213 લોકોના મોત થયા છે.