કોરોનાના દર્દીઓની સંખ્યાાં સતત વધારો થઈ રહ્યો છે. જોત જોતામાં આ વાયરસનો શિકાર થનારા લોકોની સંખ્યા 2 હજારને પાર થઈ ગઈ છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે કોરોનાનો દર છઠ્ઠો દર્દી મહારાષ્ટ્રમાંથી સામે આવે છે. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં મહારાષ્ટ્રમાં 16 લોકોના જીવ ગયા છે.
મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોનાના દર્દીઓ પર કર્યો સર્વે
અહીં તમામ ઉમરના સ્ત્રી પુરુષોને કોરોના થઈ રહ્યો છે
દેશમા દર છઠ્ઠો દર્દી અહીંથી મળે છે
મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસના 31 માર્ચ પહેલાના કેટલાક આંકડાનું તારણ કાઢ્યુ છે. જેમાં તેઓ જણાવે છે કે કેવી રીતે અલગ અલગ ઉંમરના વર્ગના લોકો આ વાયરસનો શિકાર બની રહ્યા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ સુધી કુલ દર્દી આવ્યા હતા. તેમાંથી 21થી 30 વર્ષના 46 દર્દી, 31થી 40 વર્ષના 47 દર્દી, 41થી 50 વર્ષના 48, 51થી 60 વર્ષના 31 દર્દી, 61થી 75 વર્ષના 25 તો 1થી 10 વર્ષના 7 દર્દીઓ હતા. જેનાથી એ સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્રમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉંમરના લોકો તેનો ભોગ બન્યા છે.
31 માર્ચ સુધીના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાનો ભોગ બનનારા 3માંથી 2 પુરુષ છે. કુલ દર્દીમાં 63 ટકા પુરુષો અને 37 ટક મહિલાઓ છે. સારી બાબત એ છે કે હોસ્પિટલમાં એડમિટ દર્દીઓમાં 86માં કોરોનાના કોી લક્ષણ અત્યાર સુધી જોવા નથી મળ્યાં.
12 ટકામાં આ લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે 2 ટકાની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકારે 31 માર્ચ સુધીમાં જેટલા પણ ટેસ્ટ ક્યા છે. તેમાં 96 ટકા પરિણામ નેગેટિવ આવ્યું છે. એટલે કે 4 ટકા લોકો જ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.
આ દર્દીઓનો ડેટા જોઈને એક ચિંતાજનક બાબત સામે આવીછે. જેમાં દર્દીઓમાંથી માત્ર 36 ટકા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે. એટલે કે કુલ દર્દીઓમાંથી માત્ર 1 તૃત્યાંશ લોકો જ આ હિસ્ટ્રી ધરાવે છે. જે કોરોના સંક્રમિત દેશમાંથી આવ્યા છે. બાકીના 25 ટકા દર્દીઓ એવા છે. જે વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનારાના સંપર્કમાં આવ્યા છે. જોકે બાકીના લોકોમાં સંક્રમણ કેવી રીતે થયું તે જાણવાનું બાકી છે.