પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ભારતીય રેલ દરકે પાસેથી 50 રૂપિયા એક્સ્ટ્રા ફી વસૂલી રહી છે. કર્ણાટકની ભાજપ સરકારે ઘરે પાછા જઇ રહેલા પ્રવાસી મજૂરો પાસેથી બેગણુ ભાડુ લેવાનું એલાન કર્યું છે. તેની પાછળ એવો તર્ક છે કે જે વાહનથી આ મજૂરો મોકલવામાં આવશે તે ખાલી પરત ફરશે. હવે આ પ્રકારના 'આર્થિક સમજદારી' ના કોયડાને સમજી શકીએ ત્યાં પીએમ કેયર્સ ફન્ડ (PM Cares Fund) એ મુંઝવણમાં મુકી દીધા છે.
પીએમ કેયર્સ ફન્ડથી પ્રવાસીઓ પર કેટલા પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેની કોઇ જાણકારી અપાઇ નથી
પીએમ કેયર્સ ફન્ડની વેબસાઇટ પર પણ કોઇ માહિતી અપાઇ નથી કે કેટલા પૈસા એકઠા કરવામાં આવ્યા
પીએમ કેયર્સ ફન્ડમાં લોકોએ દિલ ખોલીને દાન આપ્યું. કંપનીઓએ ભલે પોતાના કર્મચારીઓને ચૂકવણી ન કરી હોય, પરંતુ પીએમ કેયર્સ ફન્ડમાં તેઓએ વિચાર્ચા વિના દાન આપ્યું છે. ટીકાકારોનું કહેવું છે કે આ પીએમ કેયર્સ ફન્ડ (PM Cares Fund) બિન પારદર્શી અને પક્ષપાતી છે. પીએમ કેયર્સ ફન્ડમાં આપેલા દાનને કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ ગણવામાં આવી શકાય છે. જ્યારે મુખ્યમંત્રી ફન્ડમાં સમાન છૂટ મળતી નથી. ટીકાકારોનો આરોપ છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વડાપ્રધાનનું મહિમા ગાવાનો છે.
પીએમ કેયર્સ ફન્ડ (PM Cares Fund) ની રચના કોરોના વાયરસ જેવી કોઇપણ પ્રકારની મહામારી દરમિયાન ઉત્પન્ન કટોકટી અથવા સંકટની સ્થિતિનો સામનો કરવા અને પ્રભાવિત લોકોને રાહત આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. તો સ્પષ્ટ છે કે આ ફન્ડનો ઉપયોગ લૉકડાઉનમાં એક મહીના સુધી કોઇપણ આવક વિના રહેતા લાખો પ્રવાસી મજૂરોને 'સંકટની સ્થિતિ' થી બહાર નિકાળવામાં પણ થવો જોઇએ.
જોકે, હજુ સુધી કોઇએ પણ એ જાણકારી નથી આપી કે પીએમ કેયર્સ ફન્ડ (PM Cares Fund) થી પ્રવાસીઓ પર કેટલા પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે અથવા આ ફન્ડમાંથી તેમના ભાડાની રકમ કેમ ચૂકવવામાં આવતી નથી.
'ધ ટેલિગ્રાફ' ની રિપોર્ટ મુજબ, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને પણ એમ નથી કે પીએમ કેયર્સ ફન્ડ (PM Cares Fund) માં અત્યાર સુધીમાં કેટલી રકમ એકઠી કરાઇ છે. અથવા આ ફન્ડમાંથી કોઇને કોઇ રકમ અપાઇ છે કે નહીં. 'ધ ટેલિગ્રાફ' મુજબ, આ સંબંધમાં પૂછવા પર પીએમઓ સાથે જોડાયેલા એક અધિકારીએ ફોન પર જવાબ આપ્યો, 'કોઇ જાણકારી નથી'.
આટલુ જ નહીં પીએમ કેયર્સ ફન્ડની વેબસાઇટ પર પણ કોઇ માહિતી અપાઇ નથી કે કેટલા પૈસા એકઠા કરવામાં આવ્યા છે અથવા પૈસાનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આ પીએમ કેયર્સ ફન્ડના અધ્યક્ષ છે. જ્યારે રક્ષા મંત્રી અને ગૃહ મંત્રી તેના ટ્રસ્ટી છે. ઘણા કોર્પોરેટ સમૂહોએ સાર્વજનિક રૂપે જાહેરાત કરી છે કે તેઓ પીએમ કેયર્સ ફન્ડમાં કરોડો રૂપિયાનું દાન આપી રહ્યા છે.
પીએમ કેયર્સ ફન્ડને લઇને સોશિય મીડિયા પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. પીએમ મોદીએ 28 માર્ચે પીએમ મોદી કેયર્સ ફન્ડની રચનાની જાહેરાત કરી હતી.
એક અનુમાન અનુસાર, તેમની જાહેરાતના એક સપ્તાહમાં 6000 કરોડ રૂપિયાથી વધારેની રકમ લોકોએ તેમા દાન કરી ચૂક્યા હતા. આ 2014-2015 થી 2018-19 ની વચ્ચે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફન્ડ (PMNRF) માં પ્રાપ્ત 2119 કરોડ રૂપિયાના કુલ દાન કરતા ત્રણ ગણું વધારે છે. એ સમયગાળા દરમિયાન પીએમએનઆરએફથી 1594.87 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. પીએમએનઆરએફનો ઉપયોગ પૂર, તોફાન ભૂકંપ, મોટી દુર્ઘટનાઓમાં અને રમખાણો જેવી સમસ્યાઓમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને તાત્કાલિક રાહત આપવા માટે કરવામાં આવે છે.