વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર ફેલાઈ રહ્યો છે ત્યારે હાલ સુધીમાં કુલ 6515 લોકો કોરોનાના કારણે મોતને ભેટી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક જ દિવસમાં ઈટાલીમાં 368 લોકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કુલ 112 કેસ નોંધાઈ ચૂક્યા છે.
વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસ પહોચ્યો
હાલ સુધીમાં કુલ 6515 લોકો કોરોનાના કારણે મોત
ઈટાલીમાં એક જ દિવસમાં 368 લોકોના મોત
Italy hits one-day record with 368 new #coronavirus deaths: AFP news agency
મળતી માહિતી અનુસાર 1 દિવસમાં કોરોનાના કારણે થનારા મોતની સંખ્યામાં આ આંક સૌથી વધારે છે. આ સાથે ઈટાલીમાં મૃત્યુઆંક 1809નો પહોંચી ચૂક્યો છે. તો સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 24,747ની પહોંચી છે.
અહીં કોરોનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરાઈ
કઝાકિસ્તાનમાં પણ કોરોના ઉપર ઇમરજન્સી લાદવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ તેને પહેલાથી જ રોગચાળો જાહેર કર્યો છે. ભારતે પણ કોરોનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે. ભારતમાં થોડી રાહતની વાત એ છે કે વાયરસથી ચેપ લાગનારા 11 દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં હાલમાં કોરોનાના 97 દર્દીઓ છે જેની સારવાર ચાલી રહી છે.
સ્પેન પર કોરોનાનો વધારે ખતરો
સ્પેનમાં એક જ દિવસમાં 2000 નવા કેસની પુષ્ટિ થઈ છે. સમગ્ર યુરોપમાં એક જ દિવસમાં 2000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ઇટાલી પછી યુરોપમાં કોરોનાથી સ્પેન સૌથી વધુ અસરગ્રસ્ત છે. વિશ્વના 134 દેશો આ રોગનો ભોગ બની રહ્યા છે.
ક્યાં કેટલો થયો મૃત્યુઆંક અને કેટલા નવા કેસ નોંધાયા
વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસ પહોચ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 6515 લોકોના મોત થયા છે. ગઈકાલે ઈટાલી દેશમાં 368 લોકોના મોત થયા હતા. કોરોનાથી ઈરાન દેશમાં વધુ 113 લોકોના મોત નીપજ્યા છે. તો સ્પેનમાં વધુ 96 લોકોના મોત, ફ્રાંસમાં 36, અમેરિકામાં 11, ઈંગ્લેડમાં 14 લોકોના મોત થયા છે. નેધરલેંડમાં 8, જાપાનમાં 2, ઓસ્ટ્રેલિયામાં 2 લોકોના મોત તો ફિલિપીન્સમાં 4, હંગેરીમાં 1, ચીનમાં 14 લોકોના મોત, યુરોપમાં હાલ સુધીમાં 2000 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 112 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોરોના વાયરસના વધુ 12 કેસ સામે આવ્યા હતા.
ઘણા રાજ્યોએ કોરોનાને મહામારી જાહેર કર્યો છે. જેને પગલે 22 રાજ્યોમાં સ્કૂલ કોલેજો બંધ છે અને 19 રાજ્યોમાં સિનેમહોલ તાળાબંધી હેઠળ છે. બસો, મેટ્રો અને ટ્રેનોને સેનિટાઇઝ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ ટ્રેનોના એસી કોચમાં ધાબળો ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરતારપુર કોરિડોર બંધ કરી દેવામાં આવ્યો છે અને 31 માર્ચ સુધી ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.