એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએ્ન્ટ અને બલ્ક મેન્યુફેક્ચરિંગનો નિર્ણય લેવાયો
સરકારે નેશનલ આયુષ મિશનમાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કોમ્પોનેન્ટને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં તમામ પ્રકારના ટેસ્ટ અને યોગની સુવિધા આપવાનો કેબિનેટ મીટિંગમાં કરવામાં આવ્યો છે. 3400 કરોડના ખર્ચે 12,000 નવા કેન્દ્ર બનાવવામાં આવશે. કેબિનેટ મીટિંગમાં મેડિકલ ક્ષેત્રને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.
એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએ્ન્ટ અને બલ્ક મેન્યુફેક્ચરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેટિવ સ્કીમ (PLI) લોન્ચ
કેન્દ્રીય કેબિનેટે લાર્જ સ્કેલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેટિવ સ્કીમ (PLI) લોન્ચ કરી છે. તેનાથી ભારતમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ અને સ્પેસિફાઇડ ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સના ક્ષેત્રમાં ઘરેલૂ મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે અને મોટા ઇન્વેસ્ટર્સ ભારતની તરફ આકર્ષિત થશે.
3000 કરોડના ખર્ચે બનશે ડ્રગ પાર્ક
સરકાર બલ્ક ડ્રગ પાર્ક્સની પ્રમોશન સ્કીમને પણ અપ્રુવલ આપી દીધી છે. આવનારા 5 વર્ષમાં 3,000 કરોડ રૂપિયાથી 3 બલ્ક ડ્રગ પાર્ક બનાવવામાં આવશે. બલ્ક ડ્રગ પાર્ક સ્કીમથી દેશમાં બલ્ક ડ્રગ્સની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટશે, આ ઉપરાંત બીજા દેશો પરની નિર્ભરતા પણ ઘટશે. સરકારે ચાર મેડિકલ ડિવાઇસ પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા માટે સરકાર 1000 કરોડ રૂપિયાની મદદ કરશે.
દેશમાં જ બનશે ડ્રગ્સ
દેશમાં ક્રિટિકલ KSMs/ ડ્રગ ઇન્ટરમીડિએટ્સ અને APIs ની ઘરેલૂ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે PLI સ્કીમ લાવવામાં આવી છે. આ માટે આવનારા 8 વર્ષમાં 6,940 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે.
આ સ્કીમ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સની તરફથી નિયૂક્ત એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી દ્વારા લાગૂ કરવામાં આવશે. આ સ્કીમ માત્ર 53 મહત્વપૂર્ણ ડ્રગ્સની મેન્યૂફેક્ચરિંગ પર લાગુ થશે.
બેલ્જિયમથી આર્થિક ગૂનેગારોનું પ્રત્યાપર્ણ સરળ
ભારત અને બેલ્જિયમની વચ્ચે પ્રત્યર્પણ સંધિને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. તેનાથી ટેક્સ, રેવેન્યૂ સાથે જોડાયેલા ગૂનાના ગુનેગારોનું પ્રત્યર્પણ સરળ રીતે થઇ શકશે.
આ ઉપરાંત કેબિનેટે મોડિફાઇડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ (EMC2.0) ને નાણાકીય મદદ કરવાની મંજૂરી આપી છે.
જ્યારે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તમામ પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. જ્યારે રવિશંકર પ્રસાદે 'જનતા કરફ્યૂ' ને લોકોને આઇસોલેટ કરવાના હેતુથી જોવું જોઇએ.