કેન્દ્ર સરકારે કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને મોટો નિર્ણય લીધો હતો. જોકે, સરકાર દ્વારા કોરોના વાયરસના પીડિતોને વળતર માટે જે એલાન કરાયું હતું તે પાછું ખેંચાયું છે. હવે રાજ્ય સરકાર માત્ર સારવારનો જ ખર્ચ ઉઠાવશે.
કોરોના વાયરસને કારણે દેશના ઘણા રાજ્યોમાં સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ કરવાની જાહેરાત કરાઇ
શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસથી આરએમએલ હોસ્પિટલમાં એક 68 વર્ષની મહિલાનું મોત થયું
અપડેટ:
કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય બદલતા જણાવ્યું કે હવે રાજ્ય સરકાર માત્ર સારવારનો ખર્ચ ઉઠાવશે. આમ સરકાર દ્વારા કોરોના વાયરસના મૃતકોના પરિવારજનોને જે 4 લાખ રુપિયા વળતર ચૂકવવાનો જે નિર્ણય લેવાયો હતો તે પરત ખેંચ્યો છે. કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકાર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફન્ડ (SDRF) નો ઉપયોગ કરી શકશે. આ પહેલા સરકારે જાહેર કર્યું હતું કે કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમા દર્દીઓની દેખરેખ કરનારા લોકો પણ સામેલ કરાયા હતા.
હવે તમામ રાજ્ય સરકાર કોરોના વાયરસનો સામનો કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફન્ડ (SDRF) નો ઉપયોગ કરી શકશે. દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસની વચ્ચે આજે પશ્ચિમ બંગાળ, ગોવા, હિમાચલ પ્રદેશમાં તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોને બંધ કરવાની જાહેરાત કરાઇ છે. આ તમામ સ્કૂલો 30 માર્ચ બાદ જ ખુલશે.
Home Ministry: Rs 4 lakh will be paid as ex-gratia to the family of the person who will lose their life due to #Coronavirus, including those involved in relief operations or associated in response activities. https://t.co/duQCN1yVP7
નોંધનીય છે કે શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસથી આરએમએલ હોસ્પિટલમાં એક 68 વર્ષની મહિલાનું મોત થઇ ગયું. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2 લોકોના મોત થઇ ચુક્યા છે. મૃતક મહિલાના પુત્રે 5થી 22 ફેબ્રુઆરી વચ્ચે સ્વિટ્ઝરલેન્ડ અને ઇટલીનો પ્રવાસ કર્યો હતો. મૃતક મહિલાના પુત્રની પણ સારવાર ચાલી રહી છે.
આંકડા અનુસાર અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના કુલ 83 કેસ નોંધાયા છે. જેમા સારવાર દરમિયાન 10ની સ્થિતિ સારી બની છે જ્યારે હજુ પણ 73 લોકોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી છે.
સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસના કુલ 1,45,634 કેસ સામે આવ્યા છે. આજે વહેલી સવાર સુધીમાં કુલ 5,436 લોકોનાં મોત નીપજ્યાં છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નેશનલ ઈમર્જન્સી (રાષ્ટ્રીય કટોકટી) જાહેર કરી દીધી છે. તમામ રાજ્યોને તાકીદે કડક સાવચેતીભર્યાં પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, હું સત્તાવાર રીતે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરું છું. તેનાથી અમેરિકી રાજ્યોમાં કોરોના વાઈરસ મહામારીને પહોંચી વળવા ટ્રમ્પ પ્રશાસન તરફથી રાજ્ય સરકારને 50 અબજ ડોલરની મદદ મળશે. કોરોના વાયરસને પગલે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે કેબિનેટ મિટિંગમાં કટોકટીની જાહેરાત કરી છે.