દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે ચિંતામાં વધારો કર્યો છે. 2થી 3 વાર આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે.
2થી 3 વાર આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ
ફેંફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા હતા
પીડિત બ્રોંકાએેલવોલર લેંવેજ(બીએએલ)થી પીડિત છે
2થી 3 વાર આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ
એક રિપોર્ટ મુજબ નોવેલ કોરોના વાયરસના નવા વેરિએન્ટ પહેલા કરતા વધારે ખતરનાક અને સંક્રમક હોવાની સાથે ગુપ્ત થઈ રહ્યો છે. હકિકતમાં સિટી હોસ્પિટલન ડોક્ટરોનું કહેવું છે કે એવા અનેક મામલા સામે આવ્યા છે જેમાં દર્દીઓમાં કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણો છે. પરંતુ 2થી 3 વાર આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. કોરોના સંક્રમણનો ટેસ્ટ હવે આરટી પીસીઆરથી કરવો મુશ્કેલ છે.
ફેંફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા હતા
અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર ડો. આશીષ ચૌધરીએ કહ્યું અમને ગત કેટલાક દિવસમાં એવા અનેક દર્દીઓ મળ્યા છે. જેમને તાવ, ખાંસી અને શ્વાસની સમસ્યા તથા ફેંફસામાં સંક્રમણ હતુ. સીટી સ્કેન કરાવવા પર તેમના ફેંફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા હતા. જેનાથી મેડિકલ ભાષામાં પેચ ગ્રાઉન્ડ ગ્લાસ અપાસિટી (patchy ground glass opacity)કહેવામાં આવે છે. આ કોરોનાના એક વિશિષ્ટ લક્ષણ છે.
પીડિત બ્રોંકાએેલવોલર લેંવેજ(બીએએલ)થી પીડિત છે
તેમણે કહ્યું કે પીડિત બ્રોંકાએેલવોલર લેંવેજ(બીએએલ)થી પીડિત છે. જે એક ડાયગ્રોસ્ટિક ટેક્નિક છે. જેમાં સંક્રમિતના મોંઢા અથવા નાકના માધ્યમથી ફેંફડામાં એક લિક્વિડ આપવામાં આવે છે. જે અંદર દ્રવનું પરિક્ષણ કરે છે. આનાથી વિશ્લેષણની ખરાઈ થાય છે. ડો. ચૌધરીએ કહ્યુ એવા તમામ વ્યક્તિ જેમનો આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ હતો. તે તમામનો લેવેજ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટમાં આ તમામ કોરોનાના લક્ષણો પોઝિટિવ આવ્યા છે.
.....જો આવું હોય તો દર્દીને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ
સર ગંગા રામ હોસ્પિટલના ચેસ્ટ મેડિસિન ડિવીઝનના સીનિયર માર્કેટિંગ કન્સલ્ટેન્ટ ડો.ચ અરુપ બસુએ કહ્યું કે આ સમયે કોરોનાથી પીડિત દર્દીઓમાં નથુનેથી કામ કરવું, આંખમાં બળતરા થવી અને ઈન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જે પહેલા નહોંતા. તેમણે કહ્યું કે અનેક રોગીઓને ખાંસી અથવા શ્વાસમાં તકલીફ નથી થતી અને તેમના ફેંફસામાં સીટી સ્કેન નોર્મલ આવે છે. જો કે તેમને સતત 8થી 9 દિવસ સુધી તેજ તાવ હોય છે. જો આવું હોય તો દર્દીને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ.