દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1 કરોડ 6 લાખ 25 હજાર 428 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ગત 24 કલાકમાં 14 હજાર 545 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે 18 હજાર 2 લોકો સાજા થયા છે. આ દરમિયાન 163 દર્દીઓના જીવ ગયા છે. કોરોનાથી અત્યાર સુધી 1 કરોડ 2 લાખ 83 હજાર 708 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 53 હજાર 32 લોકોના જીવ ગયા છે. કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ગુરુવારે 20 લાખને પાર થઈ ચૂકી છે. આ સંખ્યામાં દુનિયાના 10માં સૌથી અસરગ્રસ્ત દેશ જર્મનીના સંક્રમિતોથી લગભગ 1 લાખ જ ઓછી છે. જર્મનીમાં અત્યાર સુધી 2.92 લાખ દર્દીઓ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 50 634 મોત થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રના સંક્રમિતોની સંખ્યા દુનિયાના 10માં સૌથી અસરગ્રસ્ત દેશ જર્મની કરતા એક લાખ જ ઓછી
3 દિવસમાં 19 હજાર એક્ટિવ કેસ ઓછા થયા
દેશમાં નવા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. 3 દિવસમાં 19 હજાર એક્ટિવ કેસ ઓછા થયા. હવે ફક્ત 1 લાખ 88 હજાર 688 દર્દીઓની સારવા ચાલી રહી છે. આ 24 જૂન બાદ સૌથી ઓછી છે. 26 નવેમ્બરથી અત્યાર સુધી (55 દિવસમાં) ફક્ત 6 જાન્યુઆરીએ એક્ટિવ કેસની સંખ્યા 545નો વધારો થયો છે.
કોરોનાથી અસરગ્રસ્ત મુખ્ય રાજ્યોની સ્થિતિ
દિલ્હીમાં ગુરુવારે 228 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. તો 405 દર્દી સાજા થયા એને 10ના મોત થયા છે. અત્યાર સુધીમાં 6.33 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 10,774 સંક્રમિતોના જીવ ગયા છે. હાલ , 2147 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે 3,015 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. 4,589 દર્દી સાજા થયા તો 59 લોકોના મોત થયા છે. અત્યારુ સુધીમાં 19.97 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે જેમાંથી 18.99 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 50, 582 એ જીવ ગુમાવ્યા છે. 46769 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં ગુરુવારે 490 લોકો કોરોના સંક્રમિત થયા છે. 707 દર્દી સાજા થયા તો 2 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 2.57 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 2.47 લાખ સાજા થયા છે. 4371 સંક્રમિતોના જીવ ગયા છે. 5648 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
હરિયાણાના 3 જિલ્લામાં 99 ટકા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. જેમાં મહેંદ્રગઢમાં 99.46%, સોનીપતમાં 99.15%, પલપલમાં 99% રિકવરી રેટ છે તો ગુડગાંવ, ફરિદાબાદ, રોહતક, અંબાલા, ઈજ્જર, કેથર અને નૂંહમાં 98થી 99% દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
મધ્ય પ્રદેશમાં ગુરુવારે 280 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા . 997 દર્દીઓ સાજા થયા તો 7ના મોત થયા છે. અત્યાર સુધી 2.52 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં2.43 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 3, 770 સંક્રમિતોના જીવ ગયા છે. 5008 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દુનિયામાં કોરોનાના અત્યાર સુધી 9.74 કરોડ કેસ
વલ્ડો મીટર ડોટ ઈન્ફોના જણાવ્યાનુંસાર દુનિયામાં અત્યાર સુધી 9 કરોડ 74 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાહત એ છે કે આમાંથી 7 કરોડ 157 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી મોતની સંખ્યા હવે 20 લાખ 86 હજારથી વધારે થઈ ચૂકી છે. 2. 53 કરોડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અમેરિકામાં ગુરુવારે દર્દીઓની સંખ્યા 2.5 કરોડને પાર થઈ ગઈ છે.