દેશમાં કોરોના વાયરસ ફરીથી પગ પેસારો કરી રહ્યો છે. 13 રાજ્યોમાં મળી રહ્યા છે કોરોનાના નવા કેસ.
રસીકરણ બાદ અત્યાર સુધી 46 લોકોના ગંભીર સાઈડ ઈફેક્ટે પગલે હોસ્પિટલમાં દાખલ
24 કલાકમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા જ્યાં રિકવરીથી વધારે નવા કોરોનાના દર્દી
મહારાષ્ટ્ર સરકારે દાખવી કડકાઈ
24 કલાકમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા જ્યાં રિકવરીથી વધારે નવા કોરોનાના દર્દી
ગત 24 કલાકની અંદર 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા રહ્યા જ્યાં રિકવરીથી વધારે નવા કોરોનાના દર્દી આવ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ કાશ્મીર અને ચંદીગઢ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર ગત 24 કલાકમાં 10 હજાર 584 લોકો કોરોના પોઝિટિવ થયા. આ દરમિયાન 13 હજાર 255 લોકો સાજા થયા. ત્યારે 78 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 1 કરોડ 10 લાખ 16 હજાર 434 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી 1 કરોડ 7 લાખ 12 હજાર 665 લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 56 હજાર 463 દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. હાલમાં દેશમાં1 લાખ 47 હજાર 306 એક્ટિવ કેસ છે.
રસીકરણને લીધે અત્યાર સુધી કેટલા મોત થયા
કોરોનાને પગલે રસીકરણને ઝડપી બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 1 કરોડ 14 લાખથી વધારે હેલ્થ કરે અને ફ્રન્ટ લાઈન વર્કર્સને રસી લગાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે રસીકરણ બાદ અત્યાર સુધી 46 લોકોના ગંભીર સાઈડ ઈફેક્ટે પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 26 લોકો સાજા થયા છે.જ્યારે 19 લોકો એવા છે જેમના મોત થયા છે. જો કે મોતના કારણ અલગ અલગ રહ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે દાખવી કડકાઈ
મહારાષ્ટ્રમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેવામાં સરકારે કડકાઈ બતાવી છે. પૂર્વ સાંસદ ધનંજય મહાદિક અને અન્ય 2 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહાદિકના દીકરાના લગ્નમાં કોરોનાના નિયમોને ઐંસીતૈંસી થઈ હતી. આ લગ્નમાં એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીશ, હરિયાણાના ડેપ્યૂટી સીએમ દુષ્યંત ચૌટાલા સહિત અનેક મોટા નેતા પહોંચ્યા હતા.
કોરોનાથી અસરગ્રસ્ત પ્રમુખ રાજ્યોની સ્થિતિ
મહારાષ્ટ્રમાં સોમવારે 5210 લોકો કોરોના ગ્રસ્ત જોવા મળ્યા છે. 5035 દર્દીઓ સાજા થયા અને 18ના મોત થયા. અત્યાર સુધી 21 લાખ 6 હજાર 94 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 19 લાખ 99 હજાર 982 લોકો સાજા થયા છે. 51 હજાર 806ના મોત થયા છે. 51 હજાર 113 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દિલ્હીમાં સોમવારે 128 નવા દર્દી મળ્યા છે અને 157 લોકો સાજા થયા છે. એકનું મોત થયું. અહીં અત્યાર સુધી 6 લાખ 38 હજાર 28 હજાર સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 6 લાખ 26 હજાર 86 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10 હજાર 901 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં સોમવારે 315 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. 272 લોકો સાજા થયા અને એકનું મોત થયું. જ્યારે અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 419 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 2 લાખ 61 હજાર 281 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 4406 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
કેરળમાં 24 કલાકમાં 2212 નવા દર્દીઓ આવ્યા છે. 5037 દર્દીઓ સાજા થયા છે. કોરોનાને લીધે 16 લોકોના જીવ ગયા. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 10, 36, 870 મામલા આવી ચૂક્યા છે. આમાંથી 9 લાખ 77 હજાર 12 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 4106ના જીવ ગયા છે. જ્યારે 55468ની સારવાર ચાલી રહી છે.
દુનિયામાં કેટલા છે કોરોનાના કેસ
દુનિયામાં કોરોનાના દર્દીઓનો આંકડો 11.22 કરોડથી વધારે થઈ ગયો છે. 8 કરોડ 77 લાખથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 24 લાખ 84 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.