કોરોના મહામારીને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPRને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દીધી છે. જ્યારે વસ્તીગણતરી 2021ને પણ હાલ સ્થગિત કરવામાં આવી છે. આગામી આદેશ સુધી આ બન્ને પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે.
વસ્તીગણતરી અને NPRની પ્રક્રિયા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત
1 એપ્રિલથી શરૂ થવાની હતી આ પ્રક્રિયા
કોરોનાના સંકટને લઇને કરાઈ સ્થગિત
NPRની પ્રક્રિયા કેટલાક રાજ્યમાં 1 એપ્રિલથી શરૂ થવાની હતી. પરંતુ કોરોન વાયરસના વધતા સંક્રમણ અને તેના સંભવિત ખતરાને જોતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, આગામી આદેશ સુધી NPR અપડેટ કરવાની પ્રક્રિયા અને 2021ની વસ્તી ગણતરના પ્રથમ તબક્કાનું કામ નક્કી કરેલા સમયે શરૂ નહીં થાય કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે 21 દિવસના બંધની જાહેરાત કરી છે.
In view of #COVID19 outbreak, the first phase of Census 2021 and the updation of National Population Register (NPR) postponed until further orders: Ministry of Home Affairs pic.twitter.com/Gv9ZZhf1KR
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હાલની સ્થિતિને જોતે NPR અને વસ્તીગણતરીનું કામ આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાથી લડવા માટે દેશમાં મંગળવારથી 21 દિવસ બંધની જાહેરાત કરી છે.