સેન્ટર ACની હવા તમામ રુમમા આવે છે . પરંતુ કોઈ બીજા રુમમાં કે ઓફિસમાં કે અન્ય કોઈ ભાગમાં કોઈ વ્યક્તિ ખાંસે અથવા તેને કોઈ ઈન્ફેક્શન હોય તો તે ACની હવાથી એક રુમમાંથી બીજા રુમમાં ફેલાય છે.
વિન્ડો AC કે કાર AC વાપરવામાં કોઈ વાંધો નથી
સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છે
ગરમીને લીધે ડૉક્ટરોની સમસ્યા વધશે
એક રુમમાં સંક્રમિત વ્યક્તિ ખાંસી ખાસે તો બીજા રુમ સુધી તે ફેલાશે
દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન કર્યા બાદ પણ કોરોનાની મોટી અસર જોવા મળી રહી છે. સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના કહેરની વચ્ચે લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કેટલાક સવાલના જવાબ આપ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે ACને કારણે કોરોના ફેલાય છે કે કેમ તે અંગે સુંદર જવાબ આપ્યો હતો.
ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ‘AC થી ખતરો ત્યારે થઈ શકે છે જ્યારે ક્રોસ વેન્ટિલેશન હોય. જો તમારા ઘરના વિન્ડોમાં AC લાગ્યુ છે તો તમારા રુમની હવા તમારા રુમ સુધી જ રહેશે. એટલે વિન્ડો AC કે કાર AC વાપરવામાં કોઈ વાંધો નથી. પરંતુ સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છે.
સેન્ટ્રલ ACની હવા તમામ રુમમાં જાય છે અને જો બીજા રુમ કે ઓફિસના કોઈ ભાગમાં કોઈ વ્યક્તિ ખાંસી ખાઈ રહ્યો છે અને તેને ઈન્ફેક્શન છે તો તે હવા બીજા રુમ કે ઓફિસ સુધી ફેલાશે. ડૉ. ગુલેરિયાએ કહ્યુ હતું કે વિન્ડો AC કે કાર AC વાપરવામાં કોઈ વાંધો નથી.
સેન્ટ્રલ ACથી સંક્રમણ વધી શકે છે. ડૉ.એ જણાવ્યું કે કેટલાય હોસ્પિટલમાં જ્યાં કોરોનાના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ત્યાં સેન્ટ્રલ એસી બંધ કરી હવે વિન્ડો એસી લગાવી રહ્યા છીએ. જેમ જેમ ગરમી વધશે. ડૉક્ટરો માટે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં સમસ્યા વધશે.
કોરોનાના દર્દીની સારવાર કરનારા ડૉક્ટર અને હેલ્થ કેર વર્કલ પીપીઆઈ કિટ પહેરે છે. ગરમીમાં આને પહેરવું બહું મુશ્કેલ બની જશે. દર્દીઓને જોવામાં મુશ્કેલી પડશે. એટલા માટે વિન્ડો એસી લગાવવું જરુરી છે.