કોરોના સંકટ વચ્ચે ફરી એક વાર વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા એક મોટી બેઠક આગામી શુક્રવારે બપોરે 3 વાગે થવા જઇ રહી છે. આ બેઠકની સૌથી મોટી વાત એ હશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સામેલ થશે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, NCP નેતા શરદ પવાર, ડીએમકે નેતા એમકે સ્ટાલિન સહિત 15 રાજકીય પક્ષોના નેતા ભાગ લેશે.
કોરોના સંકટ વચ્ચે 22મીએ બપોરે 3 વાગે વિપક્ષી નેતાઓની બેઠક
મમતા, ઉદ્ધવ, શરદ યાદવ સહિત અનેક નેતાઓ રહેશે હાજર
જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ બેઠકમાં કોંગ્રેસ તરફથી કોઇ પ્રતિનિધિ ભાગ લેશે કે નહીં. સૂત્રોને મળી રહેલી મળી રહેલી જાણકારી મુજબ આ બેઠકમાં કોરોના વાયરસ અને લોકડાઉનને લઇને મોદી સરકાર તરફથી ઉઠાવામાં આવેલા પગલાઓ અંગે વાતચીત કરવામાં આવી શકે છે અને સરકારની અને રાજ્ય સરકાર સાથે કરવામાં આવી રહેલી વર્તુણક પર ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતાં કહ્યું હતું કે આવા સમયમાં કેન્દ્રએ રાજનીતિ ન કરવી જોઇએ. મમતા બેનર્જીએ કહ્યું હતું કે કોરોના સામેની લડાઇમાં રાજ્ય સારુ કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે સમજવું જોઇએ કે બંગાળમાં આંતરરાષ્ટ્રીય સરહદ લાગે છે.
આ અગાઉ 26 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પર નિશાન તાકતા કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકાર પાસે દાળ માગી, કારણ કે અમે અમારા રાજ્યમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લોકોને અનાજ આપીએ છીએ, પરંતુ અમારા પાસે માત્ર ચોખા છે. જેના કારણે અમે દાળ અને ઘઉંની માગણી કરી જે હજુ સુદી અમને મળી નથી. મને લાગે છે કે 'દાલ મે કુછ કાલા હૈ, પરંતુ દાલ તો આને દો'.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ બધા મુદ્દાઓને લઇને મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને વિપક્ષના નેતાઓ પોતાની રણનીતિ તૈયાર કરશે. આ સાથે રાજ્યો તરફથી કેન્દ્ર પાસે માગવામાં આવેલા રાહત પેકેજ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. હજુ સુધી રાજ્યો માટે કેન્દ્ર દ્વારા કોઇ રાહત પેકેજનું એલાન કરવામાં આવ્યું નથી.