કોરોના સંકટ વચ્ચે લોકડાઉન-4માં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ બાદ વિપક્ષી દળો રાજકીય રણનીતિ પર પોતાની સક્રિયતા દેખાડવાની કવાયતમાં લાગી ગયા છે. દેશમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કોંગ્રેસને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે વિપક્ષી દળોની મહત્વની બેઠક બોલાવામાં આવી છે. વિપક્ષી દળોની બેઠકમાં પહેલી વાર શિવેસના સામેલ થશે. જો કે સપા અને બસપાને લઇને હજી સસ્પેન્સ યથાવત છે ત્યારે આપ પાર્ટીના નેતાઓ આ બેઠકમાં સામેલ થશે નહીં.
લોકડાઉન-4 પર વિપક્ષી દળોની મહત્વપૂર્ણ બેઠક
બધા ગેર એનડીએ દળોને બેઠક માટે મળ્યું આમંત્રણ
TMC હોગી સામેલ, SP-BSP પર સંશય
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે બપોરે 3 વાગે વીડિયો કોન્ફરન્સથી યોજાનારી બેઠકમાં બિન NDA રાજકીય પક્ષોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ અને એકે એંટની ભાગ લેશે.
ડીએમકે નેતા એમ કે સ્ટાલિન, લેફ્ટ પાર્ટીઓ અને મમતા બેનર્જીની ટીએમસીએ આ બેઠકમાં સામેલ થવા પર સહમતિ વ્યક્ત કરી છે. ટીએમસી તરફથી ડેરેક ઓ બ્રાયન હાજર થશે અને મમતા બેનર્જી થોડા સમય બાદ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આજે પીએમ મોદી સાથે મમતા બેનર્જી બંગાળમાં વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. જો કે હજી સુધી સપા અને બસપાએ હજુ સુધી સામેલ થવાને લઇને કોઇ નિર્ણય લીધો નથી.
કોંગ્રેસ દ્વારા બોલાવામાં આવેલી વિપક્ષી દળોની બેઠકનો મુખ્ય એજન્ડા સરકાર દ્વારા કોરોનાવાયરસ મહામારીથી નિપટવા માટે ઉઠાવામાં આવેલા પગલા, પ્રવાસી શ્રમિકોની દુર્દર્શા અને તેમની સમસ્યા અને સરકાર દ્વારા તેઓનું સાચી રીતે નિરાકરણ ન કરી શકવા, મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની હક્કીતને લઇને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
કોરોના સંકટ પર પહેલી બેઠક
કોરોના સંકટ બાદ વિપક્ષી દળોની આ પહેલી બેઠક થવા જઇ રહી છે, જે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં કોરોના સંકટને લઇને મોદી સરકારને ઘેરવાની રણનીતિ પર મંથન કરવામાં આવશે.