કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે જેથી દેશના લોકોને આ મહામારીથી બચાવી શકાય. આ વેક્સીનની ખાસ વાત છે કે તેને ઈન્જેક્શનથી નહીં આપવામાં આવે. ન તેને પોલિયો ડ્રોપની જેમ પીવાની રહેશે. તેને નાકની મદદથી ખાસ રીતે શરીરમાં પહોંચાડવામાં આવશે.
દેશમાં બની રહી છે કોરોનાની વેક્સીન
ઈન્જેક્શન કે ડ્રોપથી નહીં પણ નાકથી અપાશે આ વેક્સીન
જ્લદી જ કરવામાં આવશે કોરોફ્લૂઃ વન ડ્રોપ કોવિડ 19 નેસલ વેક્સીનનું પરીક્ષણ
કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવેલી આ વેક્સીન શરીરમાં સિરિંજ કે ડ્રોપથી આપવામાં નહીં આવે પણ તેના ટીપાં નાકમાં નાખવામાં આવશે. કોરોફ્લૂઃ વન ડ્રોપ કોવિડ 19 નેસલ વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેની પહેલાંથી ફ્લૂને માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી.
આ રીતે તૈયાર થઈ રહી છે વેક્સીન
કોરોફ્લૂઃ વન ડ્રોપ કોવિડ 19 નેસલ વેક્સીન વિશ્વવિખ્યાત ફ્લૂની દવા એમ2એસઆરના બેસ પર બનાવવામાં આવી છે. આ યોશિહારો કાવાઓકા અને ગૈબિએલ ન્યૂમેને મળીને બનાવી છે. એમ2એસઆર ઈન્ફ્લૂએન્ઝા બીમારીની તાકાતવર દવા છે.
આ રીતે અસર કરશે વેક્સીન
વેક્સીનમાં વપરાત દવા શરીરમાં જાય છે ત્યારે શરીરમાં ફ્લૂ સામે લડવાના એન્ટી બોડીઝ તૈયાર કરે છે. આ સમયે યોશિહારો કાવાઓકાએ એમ2એેસઆર દવાની અંદર કોરોના વાયરસ કોવિડ 19ના જીન સિકવન્સ મિક્સ કર્યા છે. તેના કારણે તે કોરોના સામે સરળતાથી લડી શકશે. દવા શરીરમાં જતાં જ શરીરમાં વાયરસની વિરુદ્ધના એન્ટી બોડી બનશે.
વેક્સીનની મદદથી બનેલા એન્ટીબોડી કોરોના સામે લડવામાં મદદ કરશે. ભારત બાયોટેકની બિઝનેસ ડેવલપમેન્ટ ભારતમાં તેનું ઉત્પાદન કરશે. તેનું ક્લીનિકલ ટ્રાયલ કરશે અને પછી 300 મિલિયન ડોઝ બનાવાશે. હાલમાં વેક્સીનનું ટ્રાયલ બાકી છે. ટ્રાયલ 2020ના અંત સુધી શરૂ થશે.
આ કારણે સફળ બનશે આ વેક્સીન
એમ2એસઆર ફ્લૂનો વાયરસ છે તેમાં એમ 2 જીનની ખામી હોય છે. તેના કારણે કોઈ પણ વાયરસ શરીરની અંદરની કોશિકાઓને તોડીને નવા વાયરસ નહીં બનાવી શકે. આ માટે આ દવાનો આધાર સફળ રહ્યો છે એમ કહી શકાશે.