10 જાન્યુઆરીએ PM મોદી વાયબ્રન્ટ ગુજરાત 2022નું ઉદઘાટન કરશે. વાયબ્રન્ટ ગુજરાતનું 10મી વખત આયોજન કરાઇ રહ્યું છે. જેમાં વાયબ્રન્ટ ગુજરાતમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારે આ સમિટને લઇને કોંગ્રેસ વિરોધ કરી રહી છે.
વાયબ્રન્ટ સમિટને લઈને રાજ્ય સરકાર સક્રિય
વાયબ્રન્ટ સમિટ પહેલા દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન
સરકારનુ પ્રતિનિધિમંડળ USA ની મુલાકાતે
એક તરફ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વ ચિંતામાં મૂકાયું છે. ત્યારે તંત્ર દ્વારા રાજ્યના તમામ એરપોર્ટ પર અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા વાયબ્રન્ટ સમિટ રદ કરવા માંગ કરાઈ રહી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, નવા વેરિઅન્ટથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું છે. ભય વચ્ચે ગુજરાત સરકાર વાયબ્રન્ટના તાયફા કરે છે. નમસ્તે ટ્રમ્પથી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઇ હતી. સરકાર લોકોના જીવ જોખમમાં મુકી રહી છે. તાત્કાલિક વાયબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્યણ લેવામાં આવે. તાયફા રદ નહીં થાય તો જનતા રસ્તા પર ઉતરશે.
રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટને લઈને મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાયબ્રન્ટ સમિટને લઈને દિલ્હી ખાતે પ્રથમ રોડ શો યોજવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, 10 જાન્યુઆરીએ PM મોદી વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્વાટન કરશે.