દેશમાં 2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો હતો. જ્યારે ચિંતાનો વિષય એ છે કે 5 દિવસમાં 10 ગણો વધારો થયો છે.
ઓમિક્રોનના કેસમાં 5 દિવસમાં 10 ગણો વધારો થયો છે
2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો હતો અને હવે તે 23 કેસ થઈ ગયા
લોકોની બેદરકારી ત્રીજી લહેર લાવી શકે છે
5 દિવસમાં 10 ગણો વધારો થયો છે
હવે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ ડરાવી રહ્યો છે. દેશમાં 2 ડિસેમ્બરે ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો હતો અને હવે તે 23 કેસ થઈ ગયા છે. એટલે કે 5 દિવસમાં 10 ગણો વધારો થયો છે. ફક્ત 5 દિવસમાં આવેલ આ વેરિએન્ટ 5 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. મહારાષ્ટ્રમાં 10, રાજસ્થાનમાં 9, કર્ણાટકમાં 2, દિલ્હી અને ગુજરાતમાં 1-1 દર્દી મળ્યા છે.
શું ભારતમાં આવવાની છે ત્રીજી લહેર
ઓમિક્રોને ભારતમાં ત્રીજી લહેરની ચિંતા વધારી દીધી છે. આઈઆઈટીના સાયન્ટિસ્ટ મનિન્દ્ર અગ્રવાલના અનુમાન લગાવયું છે કે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી લહેર આવી શકે છે. ફેબ્રુઆરીમાં આ પીક પર હોઈ શકે છે અને તે સમયે દર રોજ 1થી 1.5 લાખે કેસ આવી શકે છે. જો કે તેમને એમ પણ કહ્યું કે બીજી લહેરની સરખામણીએ આ ઓછો ખતરનાક હશે.
ત્રીજી લહેરનો ખતરો એટલા માટે વધી જાય છે કેમ કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ આફ્રીકામાં કોરોનાના કેસ 408 ટકાના દરથી વધ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટના મામલામાં એક દિવસમાં 53 ટકા સુધી વધી ગયા છે. અત્યાર સુધીમાં બ્રિટનમાં 246 મામલા કોરોનાના ઓમિક્રોનના આવી ચૂક્યા છે. રસીના બે ડોઝ લેવા છતાં પણ લોકો સંક્રમિત થયા છે.
લોકોની બેદરકારી ત્રીજી લહેર લાવી શકે છે
ભારતમાં એક પાસુ છે જે ત્રીજી લહેરને નિમંત્રણ આપી રહી છે તે છે લોકોની બેદરકારી. બજારોમાં ભીડ અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટેન્સિંગ વગર આરાસમથી ફરવું. ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. દિલ્હીમાં ઓમિક્રોન આવી ગયો પણ લોકો બજારોમાં ફરી રહ્યા છે.
એ વાતમાં કોઈ બે મત નથી કે આ વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ આ કેટલો જીવલેણ સાબિત થશે તે 5-7 દિવસમાં WHOના નવા રિપોર્ટમાં સ્પષ્ટ થઈ જશે. પણ ચિંતા એ છે કે આવનારા કેટલાક અઠવાડિયામાં દેશ પોતે જ ત્રીજી લહેરથી ન અથડાઈ જાય.
બૂસ્ટર ડોઝને લઈને હલચલ તેજ
દુનિયામાં અનેક દેશોમાં રસીની ત્રીજા ડોઝ અથવા બૂસ્ટર ડોઝ લગાવવામાં આવી રહ્યા છે અને હવે ઓમિક્રોનના કારણે ભારતમાં પણ વધારાના ડોઝને લઈને ચર્ચા ચાલી રહી છે. દેશના એક્સપર્ટ બૂસ્ટર ડોઝને લઈને વાત કરી છે. આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ અસોસિએશનનું કહેવું છે કે હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવા જોઈએ જેથી ત્રીજી લહેરનો સામનો કરી શકાય છે.