દેશભરમાં 515 જિલ્લા ગત વીક પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે રહ્યો. તો 6 રાજ્યોની વાત કરીએ તો જ્યાં પોઝિટિવિટી રેટમાં ઘણો વધારો જોવા મળ્યો છે.
515 જિલ્લા ગત વીક પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે
6 રાજ્યોની વાત કરીએ તો જ્યાં પોઝિટિવિટી રેટમાં ઘણો વધારો
ત્રીજી લહેરનો ઉછાળો દેશના લગભગ તમામ ભાગોમાં ફેલાઈ ગયો
515 જિલ્લા ગત વીક પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું છે કે ઓમિક્રોન વેરિએન્ટ દેશના લગભગ તમામ ભાગોમાં ફેલાઈ ચૂક્યો છે. જોકે રાહતની વાત એ છે કે રસીકરણ દરના ચાલતા હોસ્પિટલમાં દાખલ થનારા અને મોતની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. મંત્રાલયે આ વાત પર ભાર મૂક્યો છે કે દેશભરમાં 515 જિલ્લા એવા છે જ્યાં ગત અઠવાડિયે પોઝિટિવિટી રેટ 5 ટકાથી વધારે રહ્યો. આ ઉપરાંત ખાસ કરીને 6 રાજ્યોની વાત કરીએ તો જ્યાં પોઝિટિવિટી રેટમાં ઘણો વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતના કોરોનાના મામલામાં વધારો જારી છે અને ગત એક અઠવાડિયાના રેટમાં ઘણો વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતના કારોનાના મામલામાં વધારો જારી છે અને ગત એક અઠવાડિયામાં પોઝિટિવિટી રેટ લગભગ 16 ટકાના આંકડાને આંબ્યા છે.
ત્રીજી લહેરનો ઉછાળો દેશના લગભગ તમામ ભાગોમાં ફેલાઈ ગયો
ભારતની કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ ડોક્ટર વીકે પોલ કહ્યું કે, મહામારીની સ્થિતિ જણાવે છે કે ત્રીજી લહેરનો ઉછાળો દેશના લગભગ તમામ ભાગોમાં ફેલાઈ ગયો છે. રસીકરણને લીધે મૃત્યુદર ઓછો છે જો કે પોઝિટિવિટી રેટ 16 ટકાથી વધારે છે. કેટલાક રાજ્યો છે જ્યાં પોઝિટિવિટિ રેટ (ગોવા) 50 ટકા છે. વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રસીકરણ અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. આપણે બેદરકારી ન દાખવી શકીએ.
વીકલી પોઝિટિવિટી રેટમાં વધારો થયો
સ્વાસ્થ્ય મંત્રાલયે 6 રાજ્યોની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં 13 જાન્યુઆરીએ ખતમ થનારા અઠવાડિયાની સરખામણીમાં 20 જાન્યુઆરીના ખતમ થયેલા અઠવાડિયામાં વીકલી પોઝિટિવિટી રેટમાં વધારો થયો છે. આંકડા અનુસાર મહારાષ્ટ્ર (20.35 VS 22.12 ટકા), કર્ણાટક(6.78 ટકા VS 15.12 ટકા), તમિલનાડુ (10.70 ટકા VS 20.50 ટકા), કેરળ (12.28 ટકા VS 32.34 ટકા) , દિલ્હી (21. 70 ટકા VS 30.53 ટકા) અને ઉત્તર પ્રદેશ (3.32 VS 6.33 ટકા) છે.
અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ- ભૂષણ
ભૂષણે કહ્યું કે આ એ રાજ્ય છે જેની સાથે અમે સતત સંપર્કમાં છીએ અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. અમે આ રાજ્યોમાં કેન્દ્રીય દળ મોકલ્યા છે. જેમાંથી અલગ અલગ જિલ્લાનો પ્રવાસ કરવામાં આવ્યો છે. રાજ્યોના સ્વાસ્થ્ય પ્રશાસને જાણકારી આપવામાં આવી છે. ભૂષણે વર્ષ 2020 અને 2021નો ડેટા ઉપલબ્ધ કરાવતા એમ પણ કહ્યું કે દેશમાં કુલ મામલા અને મોતમાં બાળકોનાં યોગદાનમાં કોઈ ફર્ક નથી આવ્યો.