દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દૈનિક કેસોમાં એક સપ્તાહમાં 6 ગણો વધુનો વધારો થયો છે. સંક્રમણ દર પણ 4 ટકાની નજીક પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાએ ગતિ પક્ડી નવા વેરિયન્ટનો આંકડો દરરોજ વધી રહ્યો છે.
WHOએ ચેતવણી આપી કે, ઓમિક્રોન અને ડેલ્ટા એક સાથે કોરોનાની સુનામી લાવશે
દેશમાં નવા દર્દીઓની સંખ્યામાં એક સપ્તાહમાં 6 ગણો વધારો થયો
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટનો આંકડો દરરોજ વધી રહ્યો છે.
દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા પણ વધીને 2000ની નજીક આવી ગયો છે. કોરોના સંક્રમણ જે ગતિથી વધી રહ્યો છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, દેશમાં 27 ડિસેમ્બર 6500 અને 3જી જાન્યુઆરી 37,000 થી વધુ કેસ નોંધાયા છે. અટેલે કે, એક સપ્તાહમાં રોજ મળતાં નવા કેસોમાં 6 ગણો વધારો થયો છે. દેશમાં કોરોનાના નવા કેસોમાં તેજીનું કારણ ઓમિક્રોનને માનવામાં આવે છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનએ પણ કહ્યું છે કે, રાજધાનીમાં નવા કેસોમાં 84 ટકા ઓમિક્રોનના છે.
WHOએ ચેતવણી આપી કે, ઓમિક્રોન અને ડેલ્ટા એક સાથે કોરોનાની સુનામી લાવશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટ્રેડોસ ગેબ્રેયેસસએ ચેતવણી આપી હતી. ઓમિક્રોન અને ડેલ્ટા કોરોનાની સુનામીને એક સાથે લાવી શકે છે. આમ ડબ્લ્યુએચઓની ચેતવણી સાચી હતી. કારણ કે, બાકીના વિશ્વની જેમ ભારત પણ કોરોના સુનામી તરફ આગળ વધી રહ્યું છે.
દેશમાં નવા દર્દીઓની સંખ્યામાં એક સપ્તાહમાં 6 ગણો વધારો થયો
દેશમાં નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના ગ્રાફ નીચે આવવા લાગ્યો પરંતુ ઓમિક્રોનના તેને ફરીથી આગળ ધપાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનામાં ખૂબ જ વધારો થયો છે. જોઈ શકાય છે કે, 27 ડિસેમ્બરે 6531 કોરોના કેસ અને 3જી જાન્યુઆરીએ 37379 કેસ નોધાયા હતાં.
દેશમાં સંક્રમણનો દર પણ વધીને 4 ટકાની નજીક પહોંચ્યો
કોરોનાના નવા કેસોમાં ઉછાળાની સાથે દરમાં પણ ઝડપથી વધારો થવા લાગ્યો છે. દેશમાં સંક્રમણનો દર હાલમાં 3.84 ટકા છે. એટલે કે, દર 1000 ટેસ્ટમાં 38 દર્દીઓ પોઝિટીવ આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, દિલ્હી , કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. બીજી બાજુ દિલ્હીમાં ટ્રાન્ઝિશન રેટ વધીને 6.5 ટકાની નજીક આવી ગયો છે.
દેશમાં ત્રીજી લહેરની શરૂઆતઃ નિષ્ણાંત
દેશમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થયો છે. તેને જોતા નિષ્ણાંતો હવે માનવા લાગ્યા છે. ભારતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. કોવિડ વર્કિંગ ગૃપના ચેરમેન ડો.એન.કે.અરોરા જણાવ્યા અનુસાર કોરોના કેસોમાં વધારો ત્રીજી લહેર તરફ ઈશારો કરો છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે રોગચાળા અંગે ઘણી સમાનતાઓ છે.