ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જો કે પાટણમાંથી છેલ્લા બે દિવસથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. આમ કોરોનાને લઇને મહેસાણાના પાટણથી સતત બીજા દિવસે સાજા થયેલા દર્દીઓમાં પોઝિટિવ દેખાવાના કેસો સામે આવેલા સમાચારથી ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
પાટણમાં કોરોના મારી રહ્યો છે ફરી ઉથલો
સ્વસ્થ થયેલા વધુ 3 દર્દીઓને ફરી કોરોના પોઝિટિવ
સાજા થયેલા દર્દીઓને ફરી કોરોના પોઝિટિવ
એક મળતા અહેવાલ મુજબ પાટણ શહેરમાંથી ફરી ચિંતાજનક સમાચાર આવ્યાં છે. જેમાં પાટણમાં કોરોના ફરી ઉથલો મારી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્વસ્થ થયેલા વધુ 3 દર્દીઓમાં ફરી કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ સાજા થયેલા દર્દીઓમાં ફરી કોરોના પોઝિટિવ આવતા તંત્ર એકશનમાં જોવા મળી રહ્યું છે.
આ દર્દીઓ અગાઉ ધરાપુર મેડિકલ કોલેજમાંથી ડિસ્ચાર્જ થયા હતા. જેમાં ફેસીલીટી કોરોન્ટાઇનમાં દર્દીઓના ફોલોઅપ સેમ્પલ પોઝિટિવ આવ્યાં છે. ત્યારે દર્દીઓને ફરી ધારપુર મેડીકલ કોલેજમાં ખસેડાયા છે. આમ પાટણમાં અત્યાર સુધીમાં સાજા થયેલા 5 દર્દીઓનો રિપોર્ટ ફરી પોઝિટ આવ્યો છે. પાટણમાં કોરોના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 17 છે જ્યારે એકનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે ગઇકાલે કોરોનાને લઇને પાટણથી ચિંતાજનક સમાચાર સામે આવ્યાં હતા. જેમાં પાટણના નેદ્રા ગામે સ્વસ્થ થયેલા બે દર્દીઓમાં ફરીથી કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું. ગઇકાલે પણ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓના ફોલોઅપ સેમ્પલ લેવામાં આવતા પોઝિટિવ આવ્યાં હતા.