વિશ્વભરમાં હાલ કોરોના વાયરસને લઈને ભય ફેલાયેલો છે. અને વિશ્વભરમાં અત્યાર સુધીમાં 3100થી વધારે મૃત્યુ થયા છે. જ્યારે હવે પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અને 2 પોઝીટીવ કેસ સામે આવ્યા છે.
પાકિસ્તાનમાં કોરોનાની એન્ટ્રી
2 કેસ પોઝીટીવ છે
15 શંકાસ્પદ કેસ નોંધાયા
પાકિસ્તાનમાં પ્રથમ વખત કોરોનાના મામલાની 2 ઘટનાઓ સામે આવી છે. અને બંને કેસોની પૃષ્ટિ થઈ છે. પરંતુ સરકારે નાગરીકોને આશ્વાસન આપ્યું કે ગભરાવવાની જરૂર નથી. સમાચાર પત્ર ડોનને પ્રધાનમંત્રીના વિશેષ સહાયક જફર મિર્જાના ટ્વીટના માધ્યમથી જણાવ્યું કે "હું પાકિસ્તાનમાં કોરોનાવાયરસના પહેલા 2 મામલાની પૃષ્ટિ કરું છું. બંને કેસમાં હાલ તપાસ ચાલી રહી છે અને સ્થિતિ સ્થિર છે.
તેમણે જણાવ્યું કે "ગભરાવવાની જરૂર નથી પરંતુ બધું નિયંત્રણમાં છે. મિર્જાએ મીડિયાને સંબોધિત કરીને કહ્યું કે એક કેસ સિંઘનો છે અને બીજો 'સંઘીય ક્ષેત્રો'નો છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વ્યક્તિએ ઈરાનની યાત્રા કરી હતી. હાલ ઈરાનમાં વાયરસના કારણે 19 લોકોની મોત થઈ છે અને 139 લોકોને ચેપ લાગ્યો છે.
એક સવાલના જવાબમાં મિર્જાએ જણાવ્યું કે પાકિસ્તાનમાં આ વાયરસથી પ્રભાવિત 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. અને અન્ય લોકોની ચકાસણી દરમિયાન નેગેટીવ રીપોર્ટ આવ્યા છે.