દેશમાં કોરોનાના કેસની સંખ્યા 56 લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 90 હજારથી વધારે લોકોના મોત નિપજ્યા છે. તેની સામે લડવા માટે દેશની 3 કંપનીઓ રસી બનાવવામાં લાગેલી છે. જોકે હજુ સુધી રસી ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવનું કહેવું છે કે કોરોનાગ્રસ્ત શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ પર કોઈ રસી 100 ટકા અસરકારક સાબિત નહીં થાય. પરંતુ ભાર્ગવે કહ્યું કે આવા દર્દીઓ માટે રસી વધારે અસરકારક થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
શ્વાસના દર્દીઓ માટે રસી 100 ટકા સુરક્ષિત નહીં
રસી ક્યારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી
50 ટકા અસરકારક નિવડનારી રસીને સ્વીકારી શકાય છે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવના જણાવ્યાનુંસાર કોઈ પણ રસી કોરોનાથી સંક્રમિત શ્વાસના દર્દીઓને 100 ટકા સુરક્ષિત નથી કરી શકતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કોઈ પર રસીમાં 3 બાબતો હોવી દોઈએ સુરક્ષા, ઈમ્યુનિટિ વધારવાની ક્ષમતા અને તેની અસરકારકતા. એટલા માટે હું જણાવી દઉ કે બિમારી સામે લડી રહ્યા છે તેમને રસી સંપૂર્ણ રીતે અસર નહીં કરે.
ભાર્ગવે કહ્યું કે જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એમ પણ કહ્યું કે 50 ટકા અસરકારક નિવડનારી રસીને સ્વીકારી શકાય છે. જો કે અમે 100 ટકા અસરકારકતાને લઈને આગળ વધી રહ્યા છીએ પરંતુ 50થી 100 ટકાની વચ્ચે રહેશે.
કેડિલા અને ભારત બાયોટેકે ફેઝ-1નું ટ્રાયલ પુરુ કરી લીધું છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટે ફેઝ 2 બી 3 ટ્રાયલ પુરા કર્યા છે. જલ્દી મંજુરી મળતા ત્રીજા ટ્રાયલને શરુ કરવામાં આવશે.