ગુજરાતમાં કોરોનાના નહીંવત કેસ રહ્યા છે અને દિવાળી બાદ પણ સંક્રમણ કાબૂમાં છે ત્યારે રાત્રિ કર્ફ્યૂને લઈને સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.
કોરોના નિયંત્રણો હળવા કરવા વિચારણા
1 ડિસેમ્બરથી નિયમોમાં મળી શકે છે રાહત
રાત્રિ કર્ફ્યૂ હટાવી શકે છે સરકાર
કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવવા અને કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી શકે છે.
ગુજરાતમાંથી હટી શકે છે રાત્રિ કર્ફ્યૂ
મળતી જાણકારી પ્રમાણે, રાજ્યના મોટા શહેરોમાં આગામી 1 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે, તો આ સાથે જ લગ્નની સિઝન ધીમે-ધીમે જામી રહી છે ત્યારે લગ્ન અને સામાજિક પ્રસંગોને લગતા નિયમોમાં છૂટછાટ મળી શકે છે. જો કે, વેક્સિનના 2 ડોઝ ન લેનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
1 હજારથી વધુ લોકોને એકઠા થવાની મળી શકે છે મંજૂરી
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, 1 હજાર જેટલા લોકો ભેગા થવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીવત હોવાથી સરકાર નિયંત્રણો હટાવી શકે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
એક વાર ફરી નવા કેસ 10 હજારની નીચે આવ્યા. ગત 24 કલાકમાં એક તરફ કુલ 9,283 નવા કેસ મળ્યા છે. તો બીજી તરફ 10949 લોકો સાજા થયા છે. આનાથી એક્ટિવ કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આ આંકડા માત્ર 1,11, 481 જ રહી ગયા છે. આ આંકડા ગત 537 દિવસો એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછા છે. ત્યારે રિકવરી રેટ પણ વધતા 98.33 ટકા પર પહોંચી ગયો છે. જે ગત વર્ષ માર્ચ બાદ સૌથી ઉંચા સ્તરે છે. આ દરમિયાન કોરોનાની રસીમાં તેજી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 1118 કરોડથી વધારે કોરોનાની રસી લાગી ચૂકી છે અને જલ્દી આ આંકડો 120 કરોડને પાર પહોંચવાની આશા છે.
કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે- રણદીપ ગુલેરિયા
આ દરમિયાન એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે આ વાતની આશંકા બહું ઓછી છે કે દેશમાં પહેલી અને બીજી લહેરની જેમ ત્રીજી લહેર આવશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે જે રીતે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે રસીથી લોકોની રક્ષા થઈ રહી છે અને હાલમાં કોરોનાના બૂસ્ટર ડોઝની જરુર નથી. ICMRના ડિરેક્ટર ડો. બલરામ ભાર્ગવની પુસ્તક ‘ગોઈંગ વાયરલ : મેકિંગ ઓફ કોવૈક્સિન- ધ ઈનસાઈડ સ્ટોરી’ના લોન્ચિંગના પ્રસંગે તેમણે આ વાત કહી.
સમય જતાં આ મહામારી બિમારીમાં ફેરવાઈ જશે- રણદીપ ગુલેરિયા
ડો. ગુલેરિયાએ કહ્યું કે જે રીતે રસીની અસરના ચાલતા સંક્રમણની સ્પીડ અટકી અને હોસ્પિટલોનું ભારણ ઓછું થયું છે. તેનાથી દર રોજ ત્રીજી લહેર આવવાનો ડર ઓછો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જો એવું થાય તો પણ કદાય પહેલી કે બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય. તેમણે કહ્યું કે સમય જતાં આ મહામારી બિમારીમાં ફેરવાઈ જશે. પરંતું તેની ઘાતકતા ઓછી થઈ જશે. બૂસ્ટર ડોઝના સવાલ પર તેમણે કહ્યું કે હાલમાં જે રીતે કેસમાં ઘટાડો આવી રહ્યો છે. તેનાથી એવું નથી લાગતું કે દેશમાં કોરોનાની રસીના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજા ડોઝની જરુર છે.