મહારાષ્ટ્રકમાં કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે ફરી વાર લોકડાઉનની સંભાવના ખડી થઈ છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળળવારે જણાવ્યું કે લોકો લાપરવાહ બની ગયા છે.
મહારાષ્ટ્રકમાં કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે ફરી વાર લોકડાઉનની સંભાવના
મુંબઈમાં સ્થિતિ અત્યંત ખરાબ
લોકોને માસ્ક પહેરવાની અપીલ કરાઈ
મહારાષ્ટ્રકમાં કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે ફરી વાર લોકડાઉનની સંભાવના ખડી થઈ છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંગળળવારે એવી ચેતવણી આપી કે લોકો લાપરવાહ બની ગયા છે. લોકડાઉન જોઈએ છે કે નહીં તે લોકો પર નિર્ભર છે. મુંબઈમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. મેયર કિશોરી પેડનેકરે લોકલ ટ્રેનમાં સફર કરી અને લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી. ભાયખલા સીએમએસટી સુધી પણ મેટ્રોની સફર કરી હતી.
મુંબઈ વેસ્ટ વાર્ડ જેમાં ચેમ્બૂર અને તિલકનગર વિસ્તાર આવે છે, બીએમસીએ કડકાઈથી વધારી દીધી છે. 550 હાઉસિંગ સોસાયટીની બહાર નોટીસ લગાડાઈ છે કે જો કેસ વધશે તો સોસાયટીને સીલ કરી દેવામા આવશે. મુંબઈના 5 વોર્ડમાં કોરોનાની સંખ્યામાં 40-50 ટકાનો વધારો થયો છે.
વર્ષના અંત સુધીમાં બજારમાં આવી જશે કોરોના વેક્સિન
એમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાને આજે કોવિડનો બીજો ડોઝ લીધો હતો. ગુલેરિયાએ જણાવ્યું કે ચાલુ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી બજારમાં આવી જશે. વેક્સિન ઓપન માર્કેટમાં ત્યારે આવશે કે જેને સૌથી વધારે જરુર છે. તેમને રસી મળી જશે અને સપ્લાય-ડીમાન્ડ બરાબર થઈ જશે. આશા છે કે આવી સ્થિતિ વર્ષના અંત સુધીમાં કે તે પહેલા થવાની સંભાવના છે.
Karnataka: 103 residents of SNN Raj Lakeview apartment in Bommanahalli, Bengaluru tested positive for #COVID19, 96 of these are above the age of 60 years.
બેંગ્લુરુની એક બિલ્ડિંગમાં કોરોના 103 કેસ
કર્ણાટકના બેંગ્લુર સ્થિત એક એપાર્ટમેન્ટમાં રહેનાર 103 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. એસએનએન રાજ લેકવ્યુ નામનું આ એપાર્ટમેન્ટ બોમ્મનહલ્લી સ્થિત છે. આ 103 લોકોમાથી 96 લોકો 60 વર્ષ કરતા વધારે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીના કારણે જ આટલી મોટી સંખ્યામાં અહીં લોકોમાં કોરોના સંક્ર્મણ ફેલાયુ હોઈ શકે છે. જાણકારી પ્રમાણે અહીં 435 ફ્લેટમાં 1500 લોકો રહે છે અને આ એપાર્ટમેન્ટ કોમ્પલેકસ બીલેકાહલ્લીમાં બોમ્મનહલ્લી ઝોનની સીમામાં સ્થિત છે. વહીવટી અધિકારીઓનું કહેવું છે કે આ એપાર્ટમેન્ટમાં એક પાર્ટીમાં લગભગ 500 જેટલા લોકો એકત્રિત થયા હતા. જો કે અધિકારીઓનું એમ પણ કહેવું છે કે મોટા ભાગના લોકોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા નહોતા મળ્યા, અનેઓ તેમને હોસ્પિટલમાં ભરતી કરવાની પણ કોઈ જરૂર પડી નહોતી.
સ્થાનીય તંત્રના અધિકારીઓ પ્રમાણે 10 ફેબ્રુઆરીના રોજ પહેલો કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કે એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દ્દેખાયા અને તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો, આ જાણકારી બેંગાલુરુ મહાનગરપાલિકાએ આપી હતી.