ગુરુવારની સરખામણીમાં આજે કોરોના વાયરસના મામલામાં 11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
24 કલાકમાં કોરોના વાયરસના 14, 348 નવા કેસ આવ્યા
દેશમાં શુક્રવારે 805ના મોત થયા છે
શુક્રવારે કોરોનાથી સાજા થનારાની સંખ્યા 19, 198 રહી
24 કલાકમાં કોરોના વાયરસના 14, 348 નવા કેસ આવ્યા
ભારતમાં કોરોનાના મામલામાં ઉતાર ચઢાવ જારી છે. ગુરુવારની સરખામણીમાં આજે કોરોના વાયરસના મામલામાં 11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાનું માનીએ તો ભારતમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 14, 348 નવા કેસ સામે આવ્યા છે. પણ મોતની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. દેશમાં શુક્રવારે 805ના મોત થયા છે. જેમાં કેરળનો આંકડો વધારે છે. જો કે મોતના મામલામાં અપ્રત્યાશિત વૃદ્ધિનું કારણ છે કે કેરળના જૂના ડેટાને નવા કોરોનાના આંકમાં સામેલ કરવામાં આવ્યા છે.
શુક્રવારે કોરોનાથી સાજા થનારાની સંખ્યા 19, 198 રહી
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં શુક્રવારે કોરોનાથી સાજા થનારાની સંખ્યા 19, 198 રહી. આ રીતે દેશમાં કોરોનાથી અત્યાર સુધી 3,36,27,632 લોકો સાજા થયા છે. ત્યારે કુલ મામલાની સંખ્યા 3, 42, 46, 15 પાર કરી ચૂકી છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 1, 61, 334 છે અને અત્યાર સુધીમાં 4,57,191 લોકોના જીવ ગયા છે.
આકંડા મુજબ એક્ટિવ દર્દીની સંખ્યા કુલ મામલાના 0.47 ટકા છે. જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછી છે. જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોનો દર 98. 19 છે. ગત 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 345 મામલાનો વધારો થયો છે.
દેશમાં ક્યારે કેટલા કેસ મળ્યા
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થયા છે. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા એક કરોડને પાર , આ વર્ષે 4 મેમાં 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ચાલ્યા ગયા હતા.