દેશમાં કોરોનાની ગતિ સતત ધીમી થતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ન ફક્ત કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આ મહામારીને માત આપનારાની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળ્યો, ઓક્ટોબરમાં તે રાહત આપી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં જેટલા કોરોનાના કેસ મળી રહ્યા છે તેનાથી વધારે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.
કોરોના મહામારીમાં ભારત માટે સારા સમાચાર
છેલ્લા 3 અઠવાડિયાથી ઘટી રહ્યા છે નવા કેસ
સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા કેસથી વધારે
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશમાં જેટલા કોરોનાના કેસ મળી રહ્યા છે તેનાથી વધારે દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. એટલે કે છેલ્લા 3 અઠવાડિયાથી કોરોનાથી સંક્રમિત થનારા અને મહામારીથી સાજા થનારાના આંકડા સામે આવી રહ્યા છે. આ સમયે કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
New recoveries in India have exceeded the new cases for 3 continuous weeks, unabated. The new cases during these 3 weeks have displayed a steady trend of decline: Union Health Ministry pic.twitter.com/t6uAMVaWEj
કોરોનાના એક અઠવાડિયાના આંકડા પર નજર કરીએ તો 18-24 સપ્ટેમ્બરની વચ્ચેના અઠવાડિયામાં 614265 કોરોના વાયરસના નવા કેસ આવ્યા છે. તેનાથી સાજા થનારાની સંખ્યા તેનાથી વધારે એટલે કે 649908 રહી છે. 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરના અઠવાડિયામાં કોરોનાના 580066 નવા કેસ મળ્યા છે જ્યારે રિકવર થયેલા કેસની સંખ્યા 598214 રહી છે. તો 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબરમાં 554503 દર્દીઓએ કોરોનાની જંગ જીતી છે. આ સમયે 523071 જ નવા કેસ આવ્યા હતા.
18 સપ્ટેમ્બરથી પહેલાં તો કોરોનાથી રિકવર થનારા દર્દીની સંખ્યા ઓછી હતી. આ સિવાય નવા કેસની સંખ્યા વધારે જોવા મળી રહી હતી. 11-17 સપ્ટેમ્બરની વચ્ચે સપ્તાહમાં 65 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા અને 55 હજાર દર્દીઓ સાજા થયા હતા.કુલ મળીને સપ્ટેમ્બરમાં કોરોનાની સંખ્યા વધી હતી જ્યારે ઓક્ટોબરમાં રાહત જોવા મળી રહી છે.