ફેસ્ટિવલ સિઝનની પહેલાથી સતત 5માં દિવસે 20 હજારથી ઓછા મળ્યા છે.
એક દિવસમાં માત્ર 15, 823 નવા કેસ મળ્યા
24 કલાકમાં 22, 844 લોકો રિકવર થયા
એક્ટિવ કેસોની ટકાવારી જોઈએ તો આ હવે 0.61 ટકા બચ્યા
એક દિવસમાં માત્ર 15, 823 નવા કેસ મળ્યા
દેશમાં કોરોના સંક્રમણના મામલામાં સતત ઘટાડો યથાવત છે. ફેસ્ટિવલ સિઝનની પહેલાથી સતત 5માં દિવસે 20 હજારથી ઓછા મળ્યા છે. બુધવારે આવેલા આંકડા મુજબ ગત એક દિવસમાં માત્ર 15, 823 નવા કેસ મળ્યા છે. આ ઉપરાંત આ દરમિયાન 22, 844 લોકો રિકવર થયા છે. આની સાથે જ એક્ટિવ કેસોની સંખ્યામં તેજીથી ઘટતા 2, 07, 653 રહી ગઈ છે. આ આંકડો ગત 214 દિવસમાં સૌથી ઓછો છે. દેશમાં રિકવરી રેટ તેજીથી વધતા 98.06 ટકા થઈ ગયો છે. જે માર્ચ 2020થી સૌથી સારી સ્થિતિ છે. અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણથી 3, 33, 42, 901 લોકો સાજા થઈ ચૂક્યા છે.
એક્ટિવ કેસોની ટકાવારી જોઈએ તો આ હવે 0.61 ટકા બચ્યા
કુલ કેસોની સરખામણીએ એક્ટિવ કેસોની ટકાવારી જોઈએ તો આ હવે 0.61 ટકા બચ્યા છે. જે માર્ચ 2020થી સૌથી ઓછા છે. કોરોનાના નવા કેસોની સ્પીડ જે રીતે ઓછી થઈ રહી છે. તેનાથી આવનારા દિવસોમાં સંક્રમણથી જીતવાની આશા વધી ગઈ છે. આ વર્ષે એપ્રિલ અને મે દરમિયાન કોરોનાના કેસોનો કેર જોતા સ્થિતિ ઘણી સારી છે. એક્સપર્ટના જણાવ્યાનુંસાર રસીકરણના ચાલતા આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 96.43 કરોડથી વધારે કોરોનાી રસી લગાવાઈ ચૂકી છે. એટલું જ નહીં આ મહિનાના અંત સુધી આ આંકડો એક અરબને પાર પહોંચી શકે છે.
રસીની આ સ્પીડ કોરોનાની વિરુદ્ધ જંગમાં ઉત્સાહ વધારનારી
કોરોનાની રસીની આ સ્પીડ કોરોનાની વિરુદ્ધ જંગમાં ઉત્સાહ વધારનારી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધી તમામ વયસ્કોને કોરોના રસી લગાવવાનું એલાન કર્યું છે. રસીકરણ અભિયાનની શરુઆત આ વર્ષે 15 જાન્યુઆરીએ થઈ હતી. અત્યાર સુધીમાં દેશમાં આટલી મોટી સંખ્યામાં રસી લાગવી કોરોનીની વિરુદ્ધ જંગમાં એક મોટી સફળતા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સીઝનની પહેલા કોરોનાથી મળતી રાહતે બજારમાં આશાને વધારી છે. દિવાળીની આસપાસ આ બજારોમાં રોનર વધી શકે છે. આનાથી ઈકોનોમીની સ્પીડ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગત 2 ક્વાર્ટ્સના આંકડા પણ તેના સંકેત છે.